દિલ્હી: રાફેલ મુદ્દે કોંગ્રેસના નિશાને રહેલી ભાજપે હવે આ મુદ્દે વિપક્ષદળ પર પલટવાર કરવાનું મન મનાવી લીધુ છે. મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ સહિત પોતાના પ્રમુખ નેતાઓને સોમવારે દેશના 70 શહેરોમાં કોંગ્રેસ પર નિશાન સાધવા માટે તૈનાત કર્યા છે.
પાર્ટીના મીડિયા પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય અનિલ બલૂનીએ કહ્યું કે રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે સત્ય બહાર લાવ્યા બાદ ભાજપ સરકાર વિરૂદ્ધ ષડયંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડછાડ કરવાનો કોંગ્રેસના પ્રયસાનો પર્દાફાશ કરશે. તેઓએ કહ્યું કે આ નિર્ણય યુદ્ધોપાત વિમાનના સોદાને લઈને સરકાર વિરૂદ્ધ આરોપ લગાવી રહેલા લોકોના જૂઠ પર લગામ લગાવશે.
સૂત્રોનું કહેવું છે કે ભાજપ સાશિત રાજ્યોના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દેવેન્દ્ર ફડણવીસ વિજય રૂપાણી સર્વાનંદ સોનોવાલ અનુક્રમે ગુવાહાટી અમદાવાદ જયપુર અને અગરતાલામાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન રવિશંકર પ્રસાદ પ્રકાશ જાવડેકાર જે.પી. નડ્ડા સ્મૃતિ ઈરાની સુરેશ પ્રભુ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પાર્ટી સંગઠનના નેતા સોમવારે એટલે કે આવતીકાલે વિવિધ સ્થળે મીડિયા સાથે વાતચીત કરશે.