સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા મામલે હાલ રાજ્ય સરકારની તપાસ કમિટી રાજકોટ પહોંચી છે અને સમગ્ર મામલે યુનિવર્સિટીના સત્તાધીશો પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો છે
પ્રોફેસરની ભરતીમાં ભલામણનો મામલો
રાજ્ય સરકારની તપાસ કમિટી રાજકોટમાં
સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાધીશો પાસે માંગશે અહેવાલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા મામલે હાલ રાજ્ય સરકારની તપાસ કમિટી રાજકોટ પહોંચી છે. જે ભરતીમાં થયેલા ગોટાળાને લઈને તપાસ હાથ ધરી રહી છે. ભરતીમાં કૌભાંડ સામે આવ્યા બાદ રાજ્યનું શિક્ષણ વિભાગ આક્રમણ મૂડમાં જોવા મળી રહ્યું છે.
જો કે સમગ્ર મામલે રાજ્યની તપાસ કમિટી દ્વારા યુનિવર્સિટીના સત્તાધિશો પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો છે. આ અહેવાલ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં રજૂ કરવામાં આવશે, તો ભરતીમાં થયેલા ગોટાળાને લઈને શિક્ષણમંત્રીએ પણ તટસ્થ તપાસના આદેશ આપ્યા છે.
ભરતી પ્રક્રિયા કેમ રદ કરવી પડી?
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી રદ કરવામાં આવી છે, ભરતીને લઈને સિન્ડિકેટની બેઠકમાં અધ્યાપકોના નામ જાહેર થવાના હતા,જો કે ઓપન ઇન્ટરવ્યૂ આધારે અધ્યાપકોની ભરતી યોજાઈ હતી પરતું ભરતી સામે કેટલાક પ્રશ્નો સામે આવતા ભરતી પ્રક્રિયા રદ કરલામાં આવી છે, તો હવે શિક્ષણ પ્રધાન દ્વારા આપવામાં આવેલા નિર્દેશો બાદ આગામી સમયમાં નવેસરથી પ્રક્રિયા કરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે.
ભલામણના સ્ક્રિનશોર્ટ થયા હતા વાયરલ
પાંચ સભ્યોની ટીમ યુનિવર્સિટી તપાસ માટે પહોંચી જો કે હાલ ગાંધીનગરની ટીમની સિન્ડિકેટ સભ્યો સાથે બેઠક ચાલી રહી છે, આ બેઠક બાદ ભલામણ કરનાર ભાજપ સિન્ડિકેટ સભ્યોના રાજીનામા લેવાઇ તેવી શક્યતા જોવાઈ રહી છે. તપાસ કમિટી 5 ફેકલ્ટીના ડીન સાથે ઉપકુલપતિ સાથે બેઠક કરશે, જેમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સહિત 5 ફેકલ્ટીના ડીનને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે, મહત્વનું છે કે ભાજપ સિન્ડિકેટ સભ્યોના વોટ્સએપ ગ્રુપમાંથી નામ લીક કોણે કર્યા તેની પણ તપાસ થશે મહત્વનું છે કે ભરતી પ્રક્રિયા અંગે કેટલાક નામો સામે આવ્યા છે જે લોકોએ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી અંગે ભલામણ કરી હતી તેમાં ભરત રામાનુજ, નેહલ શુક્લ તથા મેહુલ રૂપાણી, ગિરીશ ભીમાણી, મહેશ ચૌહાણે ભલામણ કરી હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં સિન્ડિકેટ મેમ્બરોની ભલામણના સ્ક્રિનશોર્ટ પણ વાયરલ થયા હતા.
ભાજપ સિન્ડિકેટ સભ્યોએ મનગમતા નામો આપ્યાની ચર્ચા
2016ની UGCની હાલની સ્કીમના સ્થાને 2016ની જૂની સ્કીમ મુજબ ઈન્ટરવ્યૂનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે તેમજ ભરતી અંગે વોટ્સએપ ગૃપમાં ચર્ચા થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ સિન્ડિકેટ સભ્ય ભરત રામાનુજે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે NSUIએ લગાવેલા આરોપોમાં તથ્ય નથી, ઘણા સમયથી અમે વોટ્સએપ ગૃપ બનાવ્યું હતું જેમાં મેં અથવા અન્ય કોઈ સભ્યએ ભલામણ શબ્દ લખ્યો નથી અમારા વોટ્સએપ ગૃપમાં ભલામણ શબ્દનો ઉલ્લેખ જ નથી જ્યારે NSUIના આરોપ પર યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે, હજુ કોઈપણ નામ જાહેર કરવામાં આવ્યા નથી તો ભરતીમાં કૌભાંડનો કોઈ વાત જ નહી, યુનિવર્સિટીએ મેરિટના આધારે જ ભરતી કરવામાં આવે છે તેવું જણવ્યું છે. જો કે હાલ તો સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડને લઈ શિક્ષણમંત્રી હરકતમાં આવ્યા છે, તેમણે કુલપતિ સાથે ફોન પર જીતુ વાઘાણી કરી વાત શિક્ષણમંત્રીએ ભરતી અંગે વિગતો મેળવી ભરતી પ્રક્રિયા પારદર્શિતા, મેરીટને આધારે કરવામાં આવે તેવી સૂચના આપી છે. તેમજ સમગ્ર મામલે શિક્ષણ વિભાગના અગ્ર સચિવને કાર્યવાહી કરવા સૂચના આપી છે. હવે જોવાનું રહ્યું ખરેખર ભરતી કરવામાં કૌભાંડ થયું છે કે નહીં