પશ્ચિમ બંગાળમાં ભાજપની રણનીતિ ચૂંટણી પહેલાંથી સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસની વિરોધમાં ધારણાની લડાઈ જીતવાની છે. તેના માટે પાર્ટીએ ગૃહમંત્રી અમિત શાહના દરેક પ્રવાસમાં ટીએમસીના ધારાસભ્યો અને સાંસદોને વારાફરતી મોકલવાની રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીની યોજના આવનારા વર્ષે માર્ચ સુધી ટીએમસીમાં હલચલ મચાવી રાખવાની છે.
પાર્ટીના સૂત્રોએ કહ્યું કે શુભેંદુ અધિકારીના પાર્ટી બદલી લેતા પહેલાંથી ટીએમસીના 2 ડઝનથી વધારે નેતાઓ અને 2 સાંસદ ભાજપના સંપર્કમાં હતા. હવે અધિકારીના ભાજપમાં આવ્યા બાદ આ સંખ્યા વધશે. આ પછી વારાફરતી ભાજપમાં તેમને સામેલ કરાશે. તેનાથી ધારણા બની રહેશે કે રાજ્યમાં સાચે જ ટીએમસી ડૂબતું જહાજ બની રહ્યું છે.
ચૂંટણી પહેલાં આવી છે દીદીને હરાવવાની ભાજપની રણનીતિ
આ રણનીતિ પહેલાં શનિવારે શાહે બંગાળના પ્રવાસમાં 7 ધારાસભ્યો અને સાંસદે ભાજપને પસંદ કર્યું, મળતી માહિતી અનુસાર ચૂંટણીના અધિસૂચના જાહેર થયા સુધી ગૃહમંત્રી અનેક વાર બંગાળનો પ્રવાસ કરશે. જાન્યુઆરીમાં તેમના 2 પ્રવાસ નક્કી છે અને ત્યાર બાદ તેમની જનસંખ્યા પણ વધશે. આ પછી બીજા પ્રવાસમાં અન્ય દળોના મોટા ધારાસભ્યોને પણ ભાજપમાં સામેલ કરી લેવામાં આવશે.
અન્ય દળના ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં
મળતી માહિતી અનુસાર પાર્ટીના સંપર્કમાં વામ દળો અને કોંગ્રેસના ધારાસભ્યો પણ છે. તેમને પણ અલગ અલગ સમયે પાર્ટીનું સભ્યપદ અપાશે. તેનાથી એ સંદેશ જશે કે રાજ્યમાં ભાજપ અને ટીએમસીની વચ્ચે છે. ટીએમસીમાં આયા રામ ગયા રામની કવાયત ચાલુ છે. આ પછી ભાજપની સરખામણીએ તેનું જોર નબળું પડવાની પણ શંકા રાખવામાં આવી રહી છે.
દરેકને નહીં મળે ટિકિટ
મોટી સંખ્યામાં અન્ય દળોના નેતાઓના ભાજપમાં આવ્યા બાદ અંદરખાને અસંતોષની લાગણી પણ જોવા મળી રહી છે. એવા નેતોઓને ભાજપે સ્પષ્ટ કર્યું છે કે દરેકને વિધાનસભા ચૂંટણીની ટિકિટ મળશે નહીં. દળ બદલનારા સાંસદોને તેની ગેરેંટી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અન્ય દળના એવા નેતા જેનાથી ભાજપના કાર્યકર્તા નારાજ છે, તેમને ટિકિટ નહીં મળે. ચૂંટણી બાદ તેમને કોઈ જવાબદારી અપાશે.