ઈંડા અને નોનવેજ લારી અંગે સર્જાયેલા વિવાદ બાદ સી.આર.પાટીલે કહ્યું કે અડચણપૂર નહીં હોય તેવી લારીઓ નહીં હટાવાય, કોઈ પણ વેચાણ અંગે કોઈ વિરોધ નથી આ મામલે મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટતા કરી છે
અમદાવાદમાં ઇંડાની લારીઓ મામલે વિવાદ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન
અડચણરૂપ નહી હોય તેવી લારીઓ નહી હટાવાયઃ પાટીલ
ઈંડા અને નોનવેજ લારી અંગે સર્જાયેલા વિવાદ બાદ હવે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે, સી.આર.પાટીલે કહ્યું કે અડચણપૂર નહીં હોય તેવી લારીઓ નહીં હટાવાય, કોઈ પણ વેચાણ અંગે કોઈ વિરોધ નથી આ મામલે મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટતા કરી છે, તેમજ મંત્રીઓના નિવેદન અંગે પણ મુખ્યમંત્રીને સુચના અપાઈ છે.
અમદાવાદમાં ઇંડાની લારીઓ મામલે વિવાદ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નિવેદન બાદ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય બદલી ઈંડા અને નોનવેજ નહીં પરંતુ તમામ દબાણ જાહેરમાર્ગો પર થી દૂર કરવામાં આવ્યા છે, કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો આ મામલે મનપાઓના નિર્ણયનો આકરો વિરોધ કરી રહ્યા છે ત્યારે ઈંડા-નોનવેજની લારી હટાવવા મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની અધ્યક્ષતામાં એક બેઠક પણ મળી જેમાં નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવી કે નહીં તે મુદ્દ વિચારણાં કરવામાં આવી હતી.
AIMIMના કોર્પોરેટરે AMCના મેયરને ઈંડાની ભેટ આપી
અમદાવાદમાં ઈંડા-નોનવેજની લારી હટાવવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. વિરોધના ભાગ રૂપે AIMIMના કોર્પોરેટર ઈંડા લઈને AMC પહોંચ્યા હતા. જ્યાં કોર્પોરેટરે મેયરને ઈંડાની ભેટ આપી રજૂઆત કરી હતી કે ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણય પાછો ખેચવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામા આવે. અમદાવાદમાં ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણયને મુદ્દે આજે AMC ઓફિસ પર વિરોધ દર્શાવાયા હતો. જેમાં AIMIMના કોર્પોરેટર ઈંડા લઈને AMC પહોંચ્યા હતા અને મેયરને આપ્યા હતા. ઓફિસની બહાર પણ ઈંડા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઈંડા-નોનવેજ લારીઓ હટાવવા અંગે પુનઃચર્ચા
અમદાવાદમાં ઇંડાની લારી વિવાદને પગલે હવે AMC નરમ પડવાના એધાણ વર્તાઇ ગયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડેપ્યુટી મેયર, દંડક, સ્થાઇ કમિટી ચેરમેન હાજર રહ્યા છે. વિરોધપક્ષના વિરોધ પહેલા જ બેઠકોનો દોર કરી સમગ્ર મામલે આગામી રણનીતિની ચર્ચા થઈ હોય તેવી માહિતી મળી રહ્યી છે. તેમજ બેઠકમાં ઈંડા-નોનવેજ લારીઓ હટાવવા અંગે પુનઃચર્ચા કરવામાં આવી છે. મહત્વનું છે કે કોંગ્રેસના કોર્પોરેટર્સ થોડીવારમાં મોટા પાયે વિરોધ કરવાની ફિરાકમાં છે તે પહેલા મળેલી બેઠક શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
ન્યાય નહીં મળે તો રોડ પર ઉતરી આંદોલનની ચીમકી
મનપા ના નિર્ણય થી લારી ગલ્લા એસોસિએશન માં રોષ વ્યાપ્યો છે જેને લઈ લારીધારકો દ્વારા ઉસ્માનપુરા ખાતે બેનરો સાથે વિરોધ પણ કરવામાં આવ્યો.લારી એસોસિએશન આ મામલે હાઇકોર્ટ ના દ્વાર ખખડાવશે.અને જો ન્યાય નહીં મળે તો રોડ પર ઉતરી આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે. દબાણ પહેલી વાર રોડ પર થયું હોય અને મનપા નિર્ણય કર્યો હોય તેવું નથી .જાહેરમાર્ગ પર વર્ષો થી ઈંડા નોનવેજ સહિત લારીઓ દબાણ કરી ખાની પીની બજાર ભરાતું હતું પરંતુ હવે ઈંડા અને નોનવેજ પર રાજકારણ રમાઈ રહ્યું છે.
મનપાના નિર્ણય બાદ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર મનપા બાદ હવે અમદાવાદમાં પણ નોનવેજની લારીઓને હટાવવાનો તંત્રએ નિર્ણય લીધો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેરમાર્ગ પરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાનો નિર્ણય લીધો છે. તો સાથે ધાર્મિક સ્થળો અને કોલેજ સ્કુલ કોમ્યુનિટી હોલ પાસે પણ ઇંડા અને નોનવેજ ન વેચી શકાય તેવો નિણર્ય AMCના ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. તો અમદાવાદ મનપાના આ નિર્ણય બાદ મુખ્યમંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
AMC ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી નિવેદન
આવો નિર્ણય કેમ લેવાયો તેની મૂંઝવણ ચાલી રહી છે આ વચ્ચે આખરે કઈ લારીઓ હટશે તેની પણ મૂંઝવણ વધી છે. મનપા અને સરકારના નિવેદનથી લોકો અને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે AMC ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, નોનવેજ-ઇંડાની લારીઓથી બાળકો અને લોકોને અસર થાય છે, તેથી જાહેર માર્ગો પરની આવી લારી હટાવાશે. તો બીજી તરફ આણંદ ખાતે એક કાર્યક્રમ દરમિયાન આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'સરકાર માને છે કે નાગરિકોને જે ખાવું હોય તે ખાઇ શકે છે,' એટલે રાજ્ય સરકાર ટ્રાફિકને અડચણ રૂપ લારીઓ અંગે વાત કરી હતી છે જ્યારે અમદાવાદ મનપા માત્ર નોનવેજ-ઇંડાની લારીઓ હટાવવા માટે કહી રહી છે. જેને લઇને અન્ય લારીઓના ધંધાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે કોનું માનવું? તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
આ નિર્ણય નગરપાલિકા-મહાનગરપાલિકા તંત્રનો છે
રાજ્ય સરકાર સ્પષ્ટપણે માને છે કે નાગરિકને જે ખોરાક ખાવો હોય તે ખાઇ શકે છે
પરંતુ ખાદ્યપદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તે પણ જરૂરી છે
લારીઓ ટ્રાફિક કે નાગરિકો માટે અડચણ રૂપ હશે તો તેવી લારીઓ હટાવી શકાશે
કોર્પોરેશન એના નિયમ મુજબ નિર્ણય લઇ શકે છે
મુખ્યમંત્રીએ આણંદ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું
AMC ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેને શું કહ્યું?
અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો પરથી નોનવેજ, ઇંડા, મટન, માછલીની તમામ લારીઓ હટાવવામાં આવશે
સાથે ધાર્મિક સ્થળો, સભાખંડો, સ્કૂલ, કોલેજ, બગીચા નજીકથી પણ આવી લારીઓ દૂર કરાશે
આગામી 2થી 3 દિવસમાં જ નિર્ણયની અમલવારી શરૂ થશે
મુખ્ય સ્થળો પર 100 મીટરના રોડ પર આવતા લોકોને આવી લારીઓથી અસર પડે છે
બગીચા, મંદિર, સ્કુલની આસપાસના બાળકો પર અને શહેરીજનોને અસર પડે છે
જે વિસ્તારમાં મટનનું વેચાણ કરતા હશે ત્યાં બંધ બોડીમાં લાયસન્સ લઇને તેનું વેચાણ કરવાનું રહેશે
જો ત્યાં પણ કાયદાનું પાલન નહીં થાય તો તે દુકાનને પણ સીલ કરાવામાં આવશે
હેલ્થ વિભાગ દ્વારા તેને લાયસન્સ આપવામાં આવશે
દુકાનની અંદર બોર્ડ મારી શકશે, પરંતુ દુકાનની અંદર કોઈ વસ્તુ લટકાવી નહીં શકે