ગત શનિવારે કોંગ્રેસ કાર્ય સમિતીની બેઠક યોજાઈ હતી. જેમા અમુક વિવાદસ્પદ ટિપ્પણી સામે આવી છે. પીડીપી નેતાને સીડબ્લ્યૂસીના સદસ્ય હમીદ કર્રાએ કહ્યું કે માત્ર ગાંધી પરિવારજ ભારતને એકજુટ રાખી શકશે. આ વાત કરતાં હમીદ કર્રા વાત પરથી ભટક્યા હતા અને સરદાર પટેલ કાશ્મીરને છોડી દેવા જિન્ના સાથે ઉભા હતા તેવુ નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ નેતાઓ કોંગ્રેસ સામે સવાલો ઊભા કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપ પ્રવક્તા ભરત ડાંગરે હાર્દિક પર નિશાન સાધતાં કહ્યું કે સરદાર નામે રોટલા સેકનાર હાર્દિક પટેલકેમ ચૂપ છે.
સરદારના અપમાન અંગે હાર્દિક કેમ ચૂપ:ડાંગર
કોંગ્રેસની હાઈલેવલ CWCની બેઠકમાં સભ્ય હમીદ કર્રાએ નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પર ભાજપ નેતા અને પ્રવક્તા ભરત ડાંગર આકરા પ્રહાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરદારના નામે રોટલા શેકનાર હાર્દીક પટેલ કોંગ્રેસની મિટિંગમાં સરદાર પટેલના થયેલા અપમાન બાબતે કેમ ચૂપ છે.કોંગેસમાં પ્રવેશ મળતા હાર્દિક કેમ મૌન તોડતો નથી, સરદારના નામે રાજનીતિ કરનાર હાર્દિક દરેક વાત પર પોતાનો મત આપે છે તો કેમ આ મામલે ચુપ્પી તોડતો નથી? આમ અનેક સવાલો કરી ભરત ડાંગરે હાર્દિક પટેલ સામે આંગળી ચીંધી હતી.
કોંગ્રેસની CWC બેઠકમાં હમીદ કર્રાએ સરદાર પટેલ પર કર્યા હતા પ્રહાર
કોંગ્રેસની CWCની બેઠક આમ તો કોંગ્રેસના વરિષ્ઠ અને અસંતુષ્ઠ નેતાઓનો રોષ ખાળવા માટે હતી. પરંતુ આ બેઠકમાં કોંગ્રેસનો રોષ ઠરે એ પહેલા નવો વિવાદ સર્જાઈ ગયો. પ્રતિષ્ઠિત સમાચાર પત્રોના અહેવાલ અનુસાર કોંગ્રેસ નેતા તારીક હમીદ કર્રાએ આ બેઠકમાં એવું નિવેદન આપ્યુ કે જવાહરલાલ નેહરુએ જમ્મુ કશ્મીરને ભારતમાં ભેળવવાનું કામ કર્યુ હતુ. જ્યારે સરદાર પટેલે મહોમ્મદ અલી જીણા સાથે મળીને કશ્મીરને પાકિસ્તાનને સોંપવાની વાત કરી હતી. આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ સામે વાંધો ઉઠાવ્યો અને ખુલાસો પણ માંગ્યો. ભાજપે આરોપ લગાવ્યો કે સરદાર પટેલની ભૂમિકા સામે કોંગ્રેસ નેતાએ ઉઠાવેલા સવાલ ગેરવ્યાજબી છે અને સરદારની અખંડિત ભારતની નીતિ સામે ખોટા આરોપ છે. ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસની આ બેઠકમાં સરદાર વિશે વાસ્તવમાં શું ચર્ચાયું હતું.?. ભાજપે સરદાર પટેલને લઈને કોંગ્રેસ પર શું આરોપ લગાવ્યા છે?...કશ્મીર વિશે ખરેખર સરદાર શું ઈચ્છતા હતા અને નેહરુના કેવા વિચારો હતા?
પૂર્વ PM નરસિમ્હા રાવ પર મોટો આક્ષેપ
બેઠકમાં ચિંતામોહન દ્વારા એવું કહેવામાં આવ્યું કે પૂર્વ પીએમ નરસિમ્હા રાવ કોંગ્રેસની વિચારધારા પ્રત્યે બેદરાકર હતા. સાથેજ એવું પણ કહ્યું કે તેમણે પાર્ટીને ખતમ કરવા માટે કામ કર્યું હતું. સાથેજ આ બેઠકમાં તૃણમૂલ કોગ્રેસ પર એવા આરોપ લાગ્યા કે તેઓ ગોવામાં ભાજપની મદદ કરવા માટે ચૂંટણી લડી રહ્યા છે.