રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકારોએ અદાણી ગ્રુપ સાથે કરેલી ડીલને લઈને ભાજપે હવે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકારોએ અદાણી સાથે કરી સમજૂતી
રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકાર હોવાથી ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા નેતા શહેજાદ પૂનાવાલાએ પણ કર્યા પ્રહાર
પોતાના લગભગ તમામ ભાષણોમાં પીએમ મોદી પર અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ કરતાં રાહુલ ગાંધીને આજે ભાજપે તેમના જ તીર વડે નિશાન બનાવ્યા છે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા અદાણી જૂથને સોલર પાવર પ્રોજેક્ટ્સ અને દિઘી પોર્ટ આપવામાં આવ્યા બાદ ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પૂછ્યું છે કે શું આ જ 'હમ દો હમારે દો' છે?
CONgress Govt in Rajasthan gives nod to ADANI GROUP to set up 5 solar projects with an investment of ₹ 50,000 crore.
CONgress alliance Govt in Maharashtra gives Dighi port to ADANI GROUP. It will invest ₹ 10,000 crore.
અદાણી ગ્રુપ રાજસ્થાનમાં 5 સોલાર પ્રોજેક્ટ વિકસાવવા જઈ રહ્યું છે
નોંધનીય છે કે અદાણી ગ્રૂપ રાજસ્થાનમાં 9700 મેગાવોટનો સોલર હાઇબ્રિડ અને વિન્ડ એનર્જી પાર્ક વિકસાવવા જઈ રહ્યું છે. અદાણી ગ્રુપ 5 સોલર પ્રોજેક્ટ્સમાં 50,000 કરોડનું રોકાણ કરશે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકારે દીઘી પોર્ટ અદાણી ગ્રુપને સોંપી દીધું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રૂપે દીઘી પોર્ટ લિમિટેડમાં 100 ટકા હિસ્સો 705 કરોડમાં ખરીદ્યો છે. કંપની અહીં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને મુંબઈમાં જવાહરલાલ નહેરુ બંદર ટ્રસ્ટ માટે વૈકલ્પિક પ્રવેશદ્વાર બનાવશે.
હવે આ બંને કરાર પર ભાજપના મહામંત્રી સીટી રવિ અને કોંગ્રેસના પૂર્વ નેતા શહજાદ પૂનાવાલાએ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યા છે. સીટી રવિએ ટ્વીટ કર્યું હતું કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારે 50,000 કરોડના રોકાણ સાથે અદાણી ગ્રૂપને 5 સોલાર પ્રોજેક્ટ સોંપવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ગઠબંધન સરકારે અદાણી જૂથને દીઘી બંદર સોંપ્યું છે. તે અહીં 10 હજાર કરોડનું રોકાણ કરશે. હમ દો હમારે દો, હૈના #આંદોલનજીવી @રાહુલ ગાંધી? ''
મહારાષ્ટ્રમાં પોર્ટ મિનિસ્ટ્રી કોંગ્રેસની પાસે છે અને એક પોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું છે
કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે રાહુલ ગાંધીની સામે ઉભા થયા બાદ એક વખત બરતરફ કરવામાં આવેલા શહજાદ પૂનાવાલાએ પાર્ટીના પૂર્વ અધ્યક્ષને પણ એક સવાલ પૂછ્યો હતો. તેમણે મીડિયા અહેવાલો સાથે ટિ્વટ કર્યું હતું કે, કોંગ્રેસની આગેવાનીવાળી રાજસ્થાન સરકારે અદાણી અને જિંદાલ ગ્રુપને છૂટ આપી છે અને મહારાષ્ટ્રમાં જ્યાં પોર્ટ મિનિસ્ટ્રી કોંગ્રેસની પાસે છે, અદાણી ગ્રૂપને દીઘી પોર્ટ સોંપી દેવામાં આવ્યું છે, હવે રાહુલ ગાંધીને જવાબ આપવો જોઇએ કે કોણ ક્રોનિજીવી છે ?
મહત્વનું છે કે તાજેતરમાં સંસદમાં બજેટ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે આ સરકાર હમ દો હમારે દોની ફોર્મ્યુલા પર ચાલી રહી છે અને ચાર લોકો દેશ ચલાવી રહ્યા છે. પીએમ મોદીએ કેટલાક લોકોને આંદોલનજીવી ગણાવ્યા હોવા છતાં તેમણે સરકાર પર ઉદ્યોગપતિઓને ક્રોનિજીવી તરીકે ફાયદો કરવાનો આરોપ લગાવ્યો હતો.