સુરતમા હાર્દિક પટેલે ક્રાઈમ બ્રાંચમા હાજરી આપી હતી. આ દરમિયાન હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ભાજપ સરકાર પર પ્રહાર કરતાં હાર્દિકે કહ્યુ હતું કે ચૂંટણીના સમયે ભાજપ માસ્ટર સ્ટ્રોક મારી રહી છે. અત્યાર સુધીમા અમિત શાહ નિવેદન આપતા હતા કે આતંકવાદીઓનો મોદી સરકાર સફાયો કરી રહી છે.
આ ઉપરાંત હાર્દિકે જણાવ્યુ કે હવે રામમાધવ આતંકવાદીઓ પર કહી રહ્યા છે કે આતંકવાદીઓનો સફાયો થયો છે. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર હાર્દિકે કહ્યુ કે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય તે નક્કી છે. અને મારા નિવેદન બાદ વિજય રૂપાણીને એક્સટેન્શન મળ્યુ છે.
આ ઉપરાંત હાર્દિકે જાતિવાદ વિશે કહ્યુ કે રાજકરણમાં નિષ્ફળ લોકો જાતિવાદ ફેલાવી રહ્યા છે. આ ઉપરાંત પણ હાર્દિક પટેલે ઘણી પ્રકારના ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.