શિવસેના ભલે આદિત્ય ઠાકેરને પોસ્ટર દ્વારા મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી તરીકે દર્શાવતી હોય, પરંતુ ભાજપ તેને પોતાની સહયોગી પાર્ટી તરફની દબાણની રાજનીતિ જણાવી રહ્યું છે. પાર્ટીનું માનવું છે કે શિવસેનાની નજર સીએમ પદ પર નહીં પરંતુ ભાવી સરકારમાં મહત્વપૂર્ણ મંત્રાલયો મેળવવાની રણનીતિ છે.
દિવાળી બાદ ભાજપ-શિવસેના વચ્ચે થશે મુલાકાત
શિવસેનાની મહત્વપૂર્ણ મંત્રાલયો પર નજર
ભાજપ ડે. સીએમ ની માગ સ્વીકારશે
મહારાષ્ટ્રમાં દિવાળી બાદ સરકાર અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા
રાજ્યમાં સરકાર બનાવવાને લઇને આ અંગેની બેઠક દિવાળી બાદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પરિણામ આવ્યાં બાદ શુક્રવારે ભાજપા અધ્યક્ષ અમિત શાહે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકેર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
શિવસેનાએ ફરી 50-50 ફોર્મ્યુલાનો રાગ આલાપ્યો
મહારાષ્ટ્રમાં ભાજપ માટે સાનુકુળ પરિણામ ન આવતાં શિવસેના ચોતરફથી ઘેરી રહી છે. જેમાં શિવસેનાએ ફરી 50-50 ફોર્મ્યુલાનો રાગ આલાપ્યો છે.
ચૂંટણી પરિણામ શિવેસના માટે પણ સારા નહીં
એવુ માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપનું આશા મુજબ પ્રદર્શન જોવા મળ્યું નથી, પરંતુ ચૂંટણીના પરિણામ શિવસેનાના અનૂકુળ પણ આવ્યાં નથી. ભાજપનો સાથ છોડે તો ત્યારબાદ શિવસેનાને કોંગ્રેસ અને NCP બંનેની જરૂરિયાત પડે. શિવસેના જાણે છે કે આ ગઠબંધનથી તેમને આગામી ચૂંટણીમાં પરેશાની થઇ શકે છે.
દિવાળી બાદ ડે.સીએમ સીએમની માગ
મહારાષ્ટ્રમાં સરકાર ગઠન પર ભાજપ અને શિવસેના વચ્ચે દિવાળી બાદ વાતચીત થશે. આ દરમિયાન ભાજપ શિવસેનાના કેટલાંક મહત્વપૂર્ણ મંત્રાલયની સાથે ડે. સીએમની માગ સ્વીકાર કરશે.