બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે ત્યારે બંગાળના રાજકારણમાં હવે ગુજરાત ચર્ચાના ચગડોળે છે.
બંગાળને ગુજરાત બનાવવા મુદ્દે ભડક્યાં મમતાના મંત્રી
બંગાળમાં લાગુ કરીશું ગુજરાત મોડલ : ભાજપ
ગુજરાત રમખાણો માટે ઓળખાય છે : TMC
બંગાળમાં ગુજરાત મોડલ ચર્ચામાં
પ,બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે સોમવારે કહ્યું કે જો વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સત્તામાં આવે છે તો રાજયના વિકાસ માટે ગુજરાત મોડલને અપનાવવામાં આવશે. ઘોષે રાજ્યમાં રોજગારી વિશે ચિંતા વ્યક્ત કરી હતી જોકે હવે તેમના આ નિવેદનને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું છે અને એ ચક્કરમાં મમતા બેનર્જીની પાર્ટી ગુજરાત પર પણ હુમલા કરી રહી છે.
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે ગુજરાત રમખાણો અને દંગા માટે ઓળખાય છે અને અમારી ઈચ્છા છે કે અમારું રાજ્ય જેવું છે તેવું જ રહે.
ગુજરાત મોડલ લાગુ કરવા માંગ
નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ કે કાર્યક્રમ માં કહ્યું કે દીદી કહે છે કે અમે બંગાળને ગુજરાત બનાવવાના પ્રયાસ કરીએ છે અને હું કહેવા માંગુ છું કે અમે એવું જરૂર કરીશું અને એક વિકસિત રાજ્ય બનાવીશું. આપણી મહિલાઓ અને પુરુષોએ કામ કરવા માટે ત્યાં જવું નહીં પડે અને અહિયાં જ રોજગાર આપીશું.
મમતાના મંત્રીએ રમખાણો યાદ કરાવ્યા
TMC આ નિવેદન બાદ ભડકી ઉઠી અને કહ્યું કે ગુજરાત તો રમખાણો માટે જ ઓળખાય છે, વિકાસ માટે નહીં. ત્યાની સરકારના મંત્રીએ કહ્યું કે અમે ગુજરાતને વિકાસની સાથે નથી જોડતા. 2000થી વધારે લોકો માર્યા ગયા હતા. જો બંગાળને ગુજરાત બનાવવામાં આવશે તો લોકો માર્યા જશે. અમે ઈચ્છીએ છે કે રાજ્ય જેવું છે તેવું જ રહે.