બનાસકાંઠા: કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરી પર કૌભાંડના આરોપો લાગ્યા બાદ ભુગર્ભમાં ઉતરી જતાં સ્થાનિક રાજકારણ ફરી એક વખત ગરમાયું છે.
PNB કૌભાંડમાં કેસની પતાવટ માટે રૂપિયા 2 કરોડ લીધાના આક્ષેપો સામે આવ્યા બાદ હરિભાઈનો સંપર્ક હાલ ખોરવાયો છે. ગઈકાલે તેમની ભાળ તેમજ સંપર્ક સાંધવાનો પ્રયાસ કરાયો હતો. જોકે તેમનો કોઈ પત્તો ન મળતા હાલ સવાલોની વણઝાર તેમના સામે ઉભી થઈ છે.
#PNB કૌભાંડમાં રૂપિયા 2 કરોડની લાંચના આક્ષેપને લઇ ખળભળા ગઈકાલથી #HaribhaiChaudhary છે ભૂગર્ભમાં હરિભાઇનો નથી થઈ શકતો સંપર્ક..
ગઇકાલે બપોર પછીથીથી હરિભાઇ ફોન બંધ ગઈકાલે તેમના ઘર સુધી તપાસ કરવા છતાં નથી મળી તેમની કોઈ જાણકારી pic.twitter.com/jJ9yV84NYC
આપને જણાવી દઇએ કે પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં નીરવ મોદી સામે તપાસનો મામલે CBIની તપાસમાં મોટો ખુલાસો થયો છે. બેંક કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું છે. ભાજપના દિગ્ગજ નેતાના નામનો ખુલાસો થતાં ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
જો કે ગઇકાલથી તેઓનો મોબાઇલ સ્વીચ ઓફ આવતા રાજકારણ વધુ ગરમાયું છે. આ સાથે જ તેમના પરિવારજનોને પણ સંપર્ક સાધતા તેમની કોઇપણ ભાળ મળી શકી નથી. ત્યારે હવે આ મામલે જોવું જ રહ્યું કે કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરી ક્યારે સામે આવે છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના જગાણા ગામના વતની છે અને તેઓએ મુંબઇની યુનિવર્સિટીમાંથી M.Com નો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ બનાસકાંઠા બેઠકના સાંસદ છે.