મંત્રી ગણપતસિંહ વસાવા વધુ એક વિવાદમાં આવ્યા છે. પહેલા આવક કરતા વધુ સંપત્તિ મામલે વિવાદમાં આવ્યા હતા. હાલ જે વિભાગમાં કાર્યભાર સાંભળી રહ્યા છે તે વન અને ટુરિઝમ વિભાગમાંથી વિવાદમાં ફંસાયા છે. મંત્રીના ગણપતસિંહ વસાવાના ગામમાં આવેલ ખાનગી ટ્રસ્ટના મંદિરના નિર્માણ માટે વિભાગમાંથી ૮.૮૦ કરોડ ફાળવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત તેમજ કાયદાકીય વિરોધ જઇ મંત્રીએ મોટું ફંડ ફાળવ્યું હોવાના આક્ષેપો સાથે અરજદાર એવા રિટાયર્ડ સનદી અધિકારી જગતસિંહ વસાવાએ હાઇકોર્ટમાં પી.આઈ.એલ દાખલ કરી છે.
જ્યારે સમગ્ર બાબતે મંત્રી ગણપતસિંહ વસાવાએ પોતાના પર લાગેલા આક્ષેપોનું ખંડન કર્યું હતું. અરજદાર કોંગ્રેસના નેતા છે. જે તેઓની સામે ચૂંટણી હારી ગયા છે જેનો રાજકીય દ્વેષભાવ રાખી અરજી કરી છે. તેમજ વધુમાં કોંગ્રેસ નેતાએ પોતાની માનસિક સ્થિતિ ચકાસવી જોઈએ તેમજ કોંગ્રેસ પાર્ટીએ પણ આવા નેતાઓથી ચેતવાની સલાહ આપી હતી.
મહત્વનું છે કે આ એજ સનદી અધિકારી છે જેઓએ અગાઉ પણ મંત્રી ગણપતસિંહ વસાવા સામે આવક કરતા વધુ સંપત્તિ મામલે હાઇકોર્ટમાં ફરિયાદ કરી ચુક્યા છે. ત્યારે વધુ એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાયુ છે.