કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ પત્રકારને અપશબ્દો બોલતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો વંથલીમાં યોજાયેલી એક જાહેર સભાનો છે. જ્યાં મંત્રી જવાહર ચાવડા પત્રકારોને અપશબ્દો બોલી રહ્યા છે. પક્ષ પલટા મુદ્દે જવાહર ચાવડાને પત્રકારો સવાલો કરતા તેઓ અકળાયા. અગાઉ પીએમ મોદીને પણ જવાહર ચાવડા અપશબ્દ બોલી ચૂક્યા છે.
જવાહર ચાવડાની જીભ કાબૂમાં નથી!
ત્યારે સવાલ થાય છે કે, પત્રકારો સાથે આવો વ્યવહાર કેટલો વ્યાજબી? પત્રકારોના સવાલ પર મગજ કેમ ગુમાવો છો? શું આવી ભાષા કેબિનેટ મંત્રી તરીકે શોભે ખરી? અપશબ્દો બોલતા પહેલા વિચાર ન આવ્યો? પત્રકારોને ધમકાવવા કેટલા યોગ્ય? પત્રકારોનું કામ સવાલ કરવાનું છે. ત્યારે જો મંત્રી જ આવી ભાષાનો ઉપયોગ કરશે તે જનતા આવા મંત્રીઓથી શું આશા રાખશે. ત્યારે તેમના નિવેદન બાદ વિવાદ થતા તેમને સ્પષ્ટતા કરી કે આ તળપદી ભાષામાં કહ્યું હતું. મારો ઇરાદો ખોટો ન હતો.
'ભાજપમાં જઈ ચાવડાની વાણી કર્કશ થઈ'
જવાહર ચાવડાના નિંદનીય નિવેદની ચારે તરફ ટીકા થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના નેતા મનીષ દોશી અને લલિત વસોયાએ પણ જવાહર ચાવડાની ટીકા કરી. મનીશ દોશીએ પ્રહાર કરતાં કહ્યું કે, જવાહર ચાવડા પર સત્તાનો નશો ચડ્યો છે. તો લલિત વસોયાએ પણ કહ્યું કે, ભાજપમાં જોડાયા બાદ તેમની વાણી કર્કશ થઈ ગઈ છે.