લોકસભાની ચૂંટણી મામલે ભાજપના પ્રચાર કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ લોકસભાની ચૂંટણીના પ્રભારી ઓમ.માથુર પણ ગુજરાતમાં આવશે. સુરેન્દ્રનગર ખાતે ભાજપના ક્લસ્ટર સંમેલનમાં તેઓ હાજરી આપશે. CM અને DyCM સહિતના આગેવાનો પણ સંમેલનમાં હાજર રહેશે.
સુરેન્દ્રનગર કચ્છ રાજકોટની બેઠકો માટે ક્લસ્ટર સંમેલન યોજાશે. મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજ ચૌહાણ પણ ગુજરાત આવશે. આણંદ ખાતે આયોજિત ક્લસ્ટર સંમેલનમાં શિવરાજસિંહ હાજર રહેશે. આણંદ ખેડા વડોદરા લોકસભા સીટ માટે આણંદમાં સંમેલન યોજાશે.
11મી ફેબ્રુઆરીએ પંડિત દિનદયાળ સમર્પણ દિવસની ભાજપ ઉજવણી કરશે. 12 ફેબ્રુઆરીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં આવશે. તેમના નિવાસસ્થાને ઝંડો લહેરાવીને ઘર ઘર ચલો અભિયાનની શરૂઆત કરવામાં આવશે.
રાજ્યભરમાં કુલ 25 લાખ ધ્વજ લેહેરાવવામાં આવશે. 26મી જાન્યુઆરી કમલ દીપ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. 2 માર્ચે ભાજપ સમગ્ર ભારતમાં મહારેલી યોજશે. જેમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ સહિત 5 લાખ લોકો જોડાશે. ચૂંટણી સુધી કાર્યકર્તાઓ કાર અને બાઈક પર ધ્વજ રાખશે.