સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી નોકરીમાં અનામતને લઇને કરવામાં આવેલી ટીપ્પણી બાદ રાજકીય નિવેદનો શરૂ થઇ ગયા છે. કોંગ્રેસ તરફથી આ મામલા પર મોદી સરકાર પર દબાણ બનાવામાં આવી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવા અંગે જણાવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલાને લઇને મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ-RSS ના DNA ને અનામત ગમતું નથી.
અનામત પર ફરી વધ્યો હોબાળો
કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
SC માં અરજી નાખવા દબાણ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું RSS-BJP ની વિચારધારા અનામત વિરુદ્ધ છે, તેઓ કોઇપણ ભોગે અનામતને ભારતના બંધારણમાંથી દૂર કરવા માગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા તેમણે રવિદાસ મંદિર તોડ્યું કારણ કે જો SC-ST કમ્યુનિટી છે તે લોકો તેને આગળ વધારવા ઇચ્છતા નથી.
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે ભાજપની રણનીતિ અનામતને રદ્દ કરવાની છે, પરંતુ ભાજપવાળે જેટલા સપના જોવા હોય તેટલા જોઇ લે એવું થશે નહીં. અનામત બંધારણનો એક ભાગ છે, ભાજપ તરફથી તેને ખત્મ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતની જનતાને કહી રહ્યો છુ કે અમે અનામતને ક્યારે દૂર થવા દઇશું નહીં, મોદીજી સપના જુએ કે ભાગવત સપના જુએ... અમે એવું થવા નહી દઇએ.
ગત દિવસોમાં એક મામલામાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારી નોકરીઓમાં અનામતનો દાવો કરવો મૌલિક અધિકાર નથી. એવામાં કોઇ કોર્ટે રાજ્ય સરકારે SC અને ST વર્ગના લોકોને અનામત દેવાનો નિર્દેશ જારી કરી શકતી નથી.
Rahul Gandhi: BJP & RSS's ideology is against reservations. They never want SC/STs to progress. They're breaking the institutional structure. I want to tell SC/ST/OBC&Dalits that we'll never let reservations come to an end no matter how much Modi Ji or Mohan Bhagwat dream of it. pic.twitter.com/eyCLigBa8q