ન્યૂ દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય એમ ન હોતું કહ્યું કે, લોકોનાં ખાતામાં 15-15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ એવો ક્યારેય વાયદો ન હોતો કર્યો કે જેમાં 15 લાખ રૂપિયા લોકોનાં બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી છે.
એક ખાનગી ન્યૂઝ એજન્સીને આપવામાં આવેલ એક ઇન્ટરવ્યૂમાં રાજનાથ સિંહે કહ્યું કે, 'ક્યારેય નથી કહ્યું કે લોકોનાં બેંક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા મોકલવામાં આવશે. કાળાં નાણાં વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. આ અમારી સરકાર હતી કે જેને બ્લેક મનીની તપાસ વિરૂદ્ધ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)નું ગઠન કર્યું.
ગૃહમંત્રી રાજનાથ સિંહનું નિવેદન એવાં સમયામાં આવ્યું કે જ્યારે વિપક્ષી પાર્ટીઓએ બીજેપીને 15 લાખ રૂપિયા આપવાનાં વાયદા પર ઘેરી રહી છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે લોકસભા ચૂંટણી 2014માં બીજેપી એવાં જ વાયદાઓ કરીને સત્તામાં આવી હતી અને હવે 2019માં પણ આવાં જ વાયદાઓ કરી રહી છે.
2014ની લોકસભા ચૂંટણીમાં કાળાં નાણાં વિરૂદ્ધ કાર્યવાહી મુખ્ય ચૂંટણી મુદ્દામાંથી એક હતો. આ વર્ષે બીજેપીનાં મેનિફેસ્ટોમાં પણ સમાનાંતર અર્થવ્યવસ્થા વિરૂદ્ધ કાર્યવાહીની વાત કરવામાં આવી છે પરંતુ પાર્ટીનાં નેતાઓનાં ભાષણોમાં આ વાતની રજૂઆત નથી કરવામાં આવી રહી. પહેલાંની જેમ જ આનાં પર આ દાવાઓ પણ નથી કરવામાં આવી રહેલ.
વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને સતત વિદેશોમાં જમા કાળાં નાણાંને દેશમાં પરત ન લાવી શકવાનાં મુદ્દાઓ પર સત્તારૂઢ પાર્ટીને ઘેરી રહેલ છે. કોંગ્રેસનું કહેવું એમ છે કે કાળાં નાણાં વિરૂદ્ધ કાર્યવાહીમાં સરકાર ચૂકી ગઇ છે.