લોકસભા ચૂંટણીના 3 ચરણનું મતદાન થઇ ચૂક્યું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ વખતે મોટી સંખ્યામાં વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે. ભાજપે 38 ટકા સાંસદોનું પત્તુ કટ કર્યું છે. જ્યારે ભાજપે 243 નવા ઉમેદવારને તક આપી છે અને કોંગ્રેસે 304 નવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. એટલે કે ટિકિટ કાપવાને લઇ બંને પાર્ટીમાં એક સમાનત જોવા મળી છે.
વાત કરીએ ભાજપની તો આ વખતે ભાજપે મોટી સંખ્યામાં સાંસદોને ટિકિટ નથી આપી અને આ પગલું સંસદીય ક્ષેત્રમાં લોકોનો ગુસ્સો ઓછો કરવા માટે લેવાયું હોવાનું મનાય છે. ભાજપે અત્યારસુધી 437 ઉમેદવારોનું એલાન કર્યું છે. હાલ ભાજપ પાસે 270 સાંસદ છે જેમાંથી 102 સાંસદને ફરી ટિકિટ નથી અપાઇ એટલે કે 38 ટકા સાંસદોનું પત્તુ કટ કરી દેવાયું છે.
ભાજપે મોટી સંખ્યામાં ટિકિટ કાપવાની ફર્મ્યૂલા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે વિધાનસભા ચૂંટણીમં અપનાવી હતી અને પાર્ટીને આનો ફાયદો પણ થયો હતો. જેને લઇ હવે લોકસભામાં પણ એજ ફોર્મ્યૂલા અપનાવી છે. ભાજપે છત્તીસગઢના તમામ સાંસદોની ટિકિટ કાપી દીધી છે.
આ ઉપરાંત યૂપીમાં મોટી સંખ્યામાં નવા ઉમેદવારોને તક અપાઇ છે. જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ કેટલાક સાંસદોને ફરી તક નથી મળી. જેમાં એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતા કુમાર, સુમિત્રા મહાજન, બીસી ખંડૂરી જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે. જેમને 75 વર્ષની ઉપરની ઊંમર થઇ જતા ફરી ટિકિટ નથી અપાઇ. ત્યારે નવા ઉમેદવારોની વાત કરીએ તો ભાજપે 243 નવા ઉમેદવારને તક આપી છે. જ્યારે કોંગ્રેસે 304 નવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. એટલે કે ટિકિટ કાપવાને લઇ બંને પાર્ટીમાં એક સમાનત જોવા મળી છે. કોંગ્રેસે પણ હાલના સાંસદોમાંથી 16 સાંસદોને ટિકિટ નથી આપી એટલે કે, કુલ 33 ટકા સાંસદોને કોંગ્રેસ ફરી તક નથી આપી...