ભારતીય જનતા પાર્ટી પોતાની સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં જશ્ન મનાવવા જઇ રહી છે. એના માટે પાર્ટી 26 મે થી 11 જૂન સુધી દેશભરમાં કાર્યક્રમ કરશે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા પર ઉપલબ્ધિઓનું ખંડન કર્યું છે.
એમને પાર્ટીની ઉપલબ્ધિઓ ઘણાવતા કહ્યું કે એમની પાર્ટીએ 16850 ગામને સમસ્યા મુક્ત કરી છે. આ ગામમાં અમારી પાર્ટીએ વીજળી પહોંચાડવાનું કામ કર્યું છે. એમને કહ્યું કે આગળ પણ દરેક ગામની સમસ્યા ખતમ કરીશું.
અમિત શાહે કહ્યું કે સરકાર તરફથી 14 એપ્રિલથી 5 મે સુધી ચાલેલો 'ગ્રામ સ્વરાજ અભિયાન' એક અનોખો પ્રયોગ છે. આઝાદી બાદ પહેલી વખત કોઇ સરકારે 16850 ગામો સમસ્યા મુક્ત કરવાનું કામ પહેલી વખત હાથમાં લીધું છે. એમને કહ્યું કે અમે આવું કરીને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.
મોદી સરકારના પ્રયત્નોથી ગામના દરેક ઘરમાં વીજળી ગેસનું સિલેન્ડર પહોંચાડ્યું છે. દરેક ઘરના અંદરના લોકોની વીમા યોજનાથી સુરક્ષિત કરવાનું કામ કર્યું છે અને ઉજાલા યોજનાથી LED બ્લબનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. એમને કહ્યું કે 20.53 લાખથી વધારે પરિવારોના જન ધન યોજનામાં અકાઉન્ટ ખુલ્યું છે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિ છે.