રાજકોટ જિલ્લા ભાજપ અને જસદણના સંગઠનમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચેની ચકમકમાં હાઈકમાન્ડના આદેશને તાબે થઈને સબસલામતના દાવા કરી હમ સાથ સાથ હૈનો રાગ આલાપાઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ઉંચા પદ સોંપાતા પાયાના કાર્યકરોએ ખટપટ શરૂ કરી દીધી છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર વોટસેપ વોટસેપ રમતા રમતા ભાજપની આંતરીક વાતો જાહેર થતાં હવે છાવરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ભાજપના જૂથવાદ મામલે નેતાઓની ઝાટકણી
"અમારી વચ્ચે કોઈ મતભેદ નથી" : કુંવરજી બાવળિય
"જવાબદાર વ્યક્તિ વિવાદ કરતા નથી" : ભરત બોઘરા
જસદણમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાના જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે બન્ને નેતાઓના જૂથવચ્ચેના ઘર્ષણની વધુ એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં બન્ને જૂથ વચ્ચે લડાઈ હજુ પણ ચાલુ છે. બોઘરાના જૂથ દ્વારા વોટ્સએપ ગ્રુપમાંથી કુંવરજીના સમર્થકોને રિમુવ કરવામાં આવ્યા છે. ટીમ બીજેપી જસદણના ગ્રુપમાંથી કુંવરજીના સમર્થકોને રિમુવ કરાયા છે. આ મામલે હવે ભરત બોઘરા મેદાને આવી હમ સાથ સાથ હૈનો સૂર રેલાવી રહ્યા છે.
ભરત બોઘરાએ શું કહ્યુ?
કુંવરજી બાવળીયા અને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. કોઈ વિવાદ જ નથી તો ચર્ચા કરવાની કોઈ અવકાશ નથી. જવાબદાર વ્યક્તિ ક્યારે વિવાદ કરતા નથી. સોશિયલ મીડિયામાં લોકો પોતાના વિચાર રજૂ કરે છે. લોકશાહીમાં કોઈ પણ પોતાના વિચાર રજૂ કરી શકે છે. કુંવરજી અમારા કેબિનેટ મંત્રી છે, તેમની સાથે વિવાદનો કોઈ પ્રશ્ન નથી. કુંવરજીભાઈ કેબિનેટમાં કામ કરે છે, અમે સંગઠનમાં કામ કરીએ છીએ.
કુંવરજીબાવળિયાએ પણ સંપના સૂર રેલાવ્યા
બીજી તરફ કુંવરજી બાવળિયાએ પણ કહ્યુ કે, અમારી વચ્ચે જૂથવાદ જેવુ કઈ પણ નથી. ગઈકાલે જ અમે એખ સાથે ગાંધીનગરમાં મારી ઓફિસમાં હતા. મે જોડે મળીને લોકોના કામ કરીએ છીએ.