પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ-પંજાબ લોક કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ ગઠબંધને શનિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.
પંજાબ ચૂંટણી માટે ભાજપ ગઠબંધને જાહેર કર્યો મેનિફેસ્ટો
ગઠબંધને ચૂંટણી માટે મોટામોટા વાયદા કર્યા
11 સૂત્રિય સંકલ્પ પત્ર જાહેર કર્યું.
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ-પંજાબ લોક કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ ગઠબંધને શનિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. મેનિફેસ્ટો જાહેર કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, પંજાબ એક બહું જ સંવેદનશીલ સીમાવર્તી રાજ્ય છે અને રાજ્ય માટે સત્તામાં એવા લોકોનું હોવું જરૂરી છે, જે ખુદ સ્થિર હોય. આ અગાઉ મંગળવારે ભાજપ અને તેના સહયોગી દળ, પંજાબ લોક કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળે પોતાના 11 સૂત્રિય સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. આપને જણાવી દઈએ કે, પંજાબની 117 વિધાનસભા સીટો પર 20 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન થશે.
કર્યા મોટા મોટા વાયદા
પોતાના 11 સૂત્રિય સંકલ્પ પત્રમાં BJP-PLC-SAD joint ગઠબંધનને ખાસ કરીને ગ્રામિણ વિસ્તાર માટે જૈવિક ખેતી માટે 5 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવણી કરી, ઘટતા જળ સ્તર પર કાબૂ મેળવવા માટે મફત વર્ષા જળ સંચયન એકમો બનાવવા અને સંબદ્ધ કૃષિ ક્ષેત્રોને વધારવાનો વાયદો કર્યો છે. આ ઉપરાંત ગામમાં રમતોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પદક જીતનારા ખેલાડીઓને હરિયાણાની માફક રોકડા પુરસ્કાર આપવાની વાત કહી છે.
BJP-Punjab Lok Congress-Shiromani Akali Dal (Sanyukt) alliance releases manifesto for Punjab Assembly elections, in Jalandhar.
"Punjab is a very sensitive border state & it is important for the state to have people in power who themselves are stable," says Union Minister HS Puri pic.twitter.com/A5nuT7ydJI
ગ્રામિણ વિસ્તાર માટે 11 સૂત્રિય સંકલ્પ પત્ર મુજબ પ્રધાનમંત્રી કૃષષિ સિંચાઈ યોજના અંતર્ગત લંબિત સિંચાઈ પ્રોજેક્ટને પુરા કરવામાં આવશે. તથા નવા પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. તો વળી ગઠબંધનને પાંચ એકરથી ઓછી જમીન વાળા ખેડૂતોને દેવા માફી, ફળ, શાકભાજી, દાળ માટે એમએસપી જેવા માટે વાયદા કર્યા છે. આપને જણાવી દઈએ કે, પંજાબમાં ભાજપ પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહના નેતૃત્વવાળી પીએલસી અને શિઅદ સંયુક્ત સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.