કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની એન્ફોર્સમેંટ ડિરોક્ટોરેટની સામે હાજરીની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફ્રરંસ કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના આરોપનો જવાબ આપ્યા હતા.
ED દ્વારા કલાકો સુધી રાહુલ ગાંધીની પુછપરછ
કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેશભરમાં કર્યું પ્રદર્શન
ભારતીય જનતા પાર્ટીએ કરી પ્રેસ ક્રોન્ફરન્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની એન્ફોર્સમેંટ ડિરોક્ટોરેટની સામે હાજરીની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફ્રરંસ કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના આરોપનો જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારનું સમર્થન કરી રહી છે અને રાહુલ ગાંધી જામીન પર બહાર છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારના સમર્થનમાં કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરી છે. જે જેલમાંથી જામીન પર બહાર છે. તેમણે જાહેરાત કરી છે કે, આઓ દિલ્હીનો ઘેરાવ કરીએ, એક તપાસ એજન્સી પર પ્રેશર કરવા માટે. કોંગ્રેસ શાસિત મંત્રીઓને આમંત્રિત કર્યા છે. એજન્સી પર આવી રીતે પ્રેશર નાખવાને આપ શું કહી શકો.
भ्रष्टाचार के समर्थन में आज कांग्रेस पार्टी मैदान में उतरी है।
जो बेल पर हैं उन्होंने घोषणा की है कि 'आओ दिल्ली को घेरो, हमारा भ्रष्टाचार पकड़ा गया है।'
एक इन्वेस्टिगेशन एजेंसी पर दबाव डालने के लिए कांग्रेस के वरिष्ठ नेताओं को विशेष आमंत्रित किया गया है।
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, 75 ટકા માત્ર તેમની ભાગીદારી હતી, બાકી તેમની માતાજી પાસે, મોતી લાલ વોરા અને ઓસ્કર ફર્નાંડીઝ જેવા નેતાઓની પાસે હતી. 2008માં આ કંપનીએ પોતાની ઉપર 90 કરોડનું દેવુ ચડાવી દીધું હતું અને નિર્ણય કર્યો હતો કે, હવે આ કંપની પ્રોપર્ટીના બિઝનેસમાં ઉતરશે. 2015માં 5 લાખ રૂપિયાથી યંગ ઈન્ડિયા નામની કંપની બની અને રાહુલ ગાંધી તેમા રોકાણકાર તરીકે સામેલ થયા. એક કંપની જે 1930માં બની છે, તેનું નામ એસોસિએટેડ જર્નલ લિમિટેડ. જેના પર હવે ગાંધી પરિવારનો કબ્જો છે. તેમણે કહ્યું કે, આ અખબારના પ્રકાશન માટે એક જ પરિવારના શેર હોલ્ડીંગ દેવામાં આવ્યા અને આ એક જ પરિવાર માટે આપવામાં આવતા પ્રકાશન ન કરે, પણ રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે.
जो बेल पर हैं उन्होंने घोषणा की है कि आओ दिल्ली को घेरो, क्योंकि हमारा भ्रष्टाचार पकड़ा गया है।
एक इन्वेस्टिगेशन एजेंसी पर दबाव डालने के लिए कांग्रेस शासित वरिष्ठ नेताओं को विशेष आमंत्रित किया गया है।
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કંપની બનાવામાં આવે છે, સમાજની સેવા માટે, પણ સમાજની સેવા નહીં, પણ ફક્ત ગાંધી પરિવારની સેવા સુધી તે મર્યાદિત રહી ગયું. આજે જે લોકો ઈન્વેસ્ટિગેશન એજન્સી પર પ્રેશર બનાવા માગે છે, તેમનું ધ્યાન આકર્ષિત કરવા માટે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, સત્ય રાહુલ ગાંધીનું છે. આગ્રહ પણ રાહુલ ગાંધીનો છે. અને સત્ય રાહુલ ગાંધીનું શું છે, તેઓ આજે પણ દિલ્હી હાઈકોર્ટના આ નિવેદન પર, મેં જે કહ્યું છે, તેનાથી તે સ્થાપિત થાય છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આજે જે ગતિરોધ કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા રાહુલ ગાંધીના કહેવા પર કરી રહ્યા છે, હું દેશને બતાવા માગુ છું કે, આ લોકતંત્ર બચાવાનો પ્રયાસ નથી, પણ ગાંધી પરિવારની 2000 કરોડની સંપત્તિ બચાવાનો પ્રયાસ છે.