બિહારમાં ચૂંટણી હવે પૂર્ણ થઈ ચૂકી છે, NDA ના ભાગ તરીકે ભાજપની હવે સત્તામાં ફરીથી વાપસી થઈ ચૂકી છે, ત્યાર બાદ હવે ભાજપનુંઓ આગામી નિશાન સ્વાભાવિક પણે બંગાળમાં ચૂંટણી જીતી સત્તા પ્રપાત કરવાનું રહેવાનું છે, આગામી વર્ષે બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખનો ચોંકાવનારો આક્ષેપ
મમતા સરકાર સામે બંગાળ ભાજપ અધ્યક્ષે ખોલ્યો મોરચો
દિલીપ ઘોષે કહ્યું, બંગાળમાં બેઠેલાઅ મૂક લોકો આતંકી સંગઠનની મદદ કરે છે
બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને મમતા સરકાર વિરુદ્ધ પહેલાથી જ આરપારની લડાઈનું મૂડ બનાવી ચૂકેલા ભાજપે હવે બંગાળ પર પોતાનું ફોકસ વધારી દીધું છે, બંગાળમાં ભાજપ હિન્દુ મતદારોનું ધ્રુવીકરણ કરીને સત્તા પ્રાપ્તિ કરવા માંગે છે, તેથી બંગાળમાં હાલની નિવર્તમાન સરકાર વિરુદ્ધ ભાજપે પોતાના હુમલાઓ તીવ્ર કારીઓ દીધા છે.
ભાજપ પ્રમુખનો ચોંકાવનારો આક્ષેપ
વિવાદિત નિવેદનો માટે પ્રસિદ્ધ ભાજપના બંગાળ અધ્યક્ષ દિલીપ ઘોષે તાજેતરમાં જ ફરીથી એક ચોંકાવનારું નિવેદન કર્યું છે, આડકતરી રીતે મમતા સરકારનું નામ લીધા વિના તેમણે આક્ષેપ કર્યો હતો કે બંગાળમાં બેસીને અમુક લોકો આતંકી સંગઠન અલકાયદાને મદદ કરી રહ્યા છે, સાથે જ તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં અલકાયદા ના સભ્યોની ઓળખ થઈ રહી છે, જેથી કહી શકાય કે રાજ્યમાં અલકાયદાનું નેટવર્ક મજબૂત છે અને બંગાળમાં બેસીને અમુક લોકો અલકાયદાની મદદ કરી રહ્યા છે.
આડકતરી રીતે મમતા સરકાર પર લગાવ્યો આતંકી સંગઠનની મદદનો આરોપ
વધુમાં તેમણે કહ્યું હતું કે દેશમાં શાંતિ ડહોળવાના મલિન ઈરાદા સાથે અલ કાયદા ભારતમાં કાર્યરત છે અને તેના આ કાર્યમાં બંગાળમાંથી અમુક લોકો અલકાયદાની મદદ પણ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે બંગાળમાં અલકાયદાનું નેટવર્ક મજબૂત છે, અને દેશના હિત માટે આતંકી સંગઠનની મદદ કરનારા લોકોની ઓળખાણ થવી ખૂબ જ જરૂરી છે, જો કે બંગાળમાં ભાજપ પ્રમુખના આ નિવેદન બાદ ત્યાં રાજકારણમાં ગરમાવો થવાની ખૂબ જ શક્યતા છે.
નોંધનીય છે કે સામ્યવાદીઓના ધોવાણ પછી બંગાળમાં કોંગ્રેસ પણ હાલમાં શૂન્યપ્રાય છે, મમતા બેનરજીના સત્તા કાળમાં હાલમાં એક માત્ર ભાજપ જ બંગાળમાં મુખ્ય વિપક્ષ તરીકેની રાજનીતિ કરી રહ્યો છે, બંગાળમાં કોંગ્રેસ અને સામ્યવાદીઓથી વિખૂટા પડેલા મતદારોને ભાજપે એક નવો વિકલ્પ આપ્યો છે, ગેરકાયદે ઘૂસણખોરોનો ખૂબ જ મોટો પ્રશ્ન બંગાળમાં છે, અને મમતા સરકાર પર વૉટબેંક માટે તેમનું સંરક્ષણ થઈ રહ્યું હોવાનું આક્ષેપ છે, આ મુદ્દે ભાજપ હિન્દુ ધ્રુવીકરણ કરી પોતાના પગ મજબૂત કરવા માંગે છે.