વારંવાર ફાયર વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટી ન લગાવતા સરકારી અધિકારી નેતાજીની હોસ્પિટલ સીલ મારવા પહોંચ્યા હતા પણ..
સુરેન્દ્રનગરમાં પાલીકાએ બિલ્ડીંગને સીલ કરી
ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની બિલ્ડીંગ સીલ કરી
ભાજપ પ્રમુખે ધક્કા મારી ચીફ ઓફિસર સાથે કરી ગેરવર્ણૂંક
સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રમુખની દાદાગીરી સામે આવી છે. શેહર ભાજપ પ્રમુખની માલિકીની બિલ્ડિંમાં હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. આ હોસ્પિટલને અગાઉ નોટીસ આપવામાં આવી હતી તેમ છતા હોસ્પિટલે ફાયર NOC ન લીધી જેના કારણે પાલિકા દ્વારા હોસ્પિટલને સીલ મારવામાં આવ્યુ છે.
હોસ્પિટલ સીલ થતા ભાજપ પ્રમુખ ઉશ્કેરાયા
આપને જણાવી દઈએ કે સુપેન્દ્રનગરનવા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની બિલ્ડીંગમાં આ ખાનગી હોસ્પિટલ આવેલી છે જેને સીલ કરવામાં આવી છે. હોસ્પિટલ સીલ થતા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ ઉશ્કેરાયા હતા અને તેમણે ગેરવર્તન કર્યું હતું. ભાજપ પ્રમુખે ચીફ ઓફીસર સંજય પંડયા સાથે ગેર વર્તણૂંક કરી હોવાનું સામે આવ્યું છે. જેમા તેમણે હોદ્દાનો પાવર બતાવીને ચીફ ઓફીસર સંજય પંડયા સાથે ગેરવર્તણૂંક કરી જેના કારણે આ મુ્દ્દો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ સમગ્ર મામલે ભાજપ પ્રમુખે મહેન્દ્ર પટેલે અધિકારીઓ સાતે ઝપાઝપી પણ કરી હતી.
પાલિકાએ બિલ્ડીંગને અગાઉ નોટીસ આપી હતી
ઉલ્લેખનીય છે કે અધિકારીઓ અગાઉથી બિલ્ડીંગમાં નોટિસ આપી હતી. તેમ છતા બિલ્ડીંગ દ્વારા NOC ન લેવામાં આવી. જેના કારણે અદિકારીઓ બિલ્ડીંગ સીલ કરવા માટે આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ બિલ્ડીંગ સીલ કરવા આવ્યા ત્યારે ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલે તેમન સાથે ગેરવર્તણૂંક કરી જેના તેમને ધક્કા માર્યા હતા.
હાઇકોર્ટનો કડક આદેશ કેમ ઘોળીને પી ગયા નેતાજી?
શું નેતા થઈ ગયા એટલે કોઈ નિયમ ન લાગે, આવું જ કઈક બન્યું સુરેન્દ્રનગરમાં પાલિકાના કર્મચારીઑ જોડે, હાઈકોર્ટના ફાયર સેફટીના આદેશ બાદ અને સરકારના કડક વલણ બાદ ફાયર NOC ન ધરાવતા એકમો સામે સીલ સુધીના પગલાં લેવાઈ રહ્યા છે. અમદાવાદમાં 214 એકમોને કોલોઝર નોટિસ ફટકાર્યા બાદ , રાજકોટમાં પણ 110 જેટલી ખાનગી શાળા અને 16 જેટલી હોસ્પિટલોને ફાયર સેફટી ન હોવાને કારણે સીલનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અને એ પગલે સુરેન્દ્રનગરમાં પણ કાર્યવાહી થઈ રહી છે પણ ચીફ ઓફીસર સંજય પંડ્યા જ્યારે ભાજપના મોટા ગજા નેતાની બિલ્ડિંગમાં આવેલી હોસ્પિટલ સીલ કરવા ગયા ત્યારે હોદાનો પાવર બતાવી શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલે દાદાગીરી કરી.
વીટીવીના સળગતા સવાલ
સરકાર અને હાઈકોર્ટનો આદેશ જાણે તેમનાથી પર હોય એમ સત્તાનો રૌફ ઝાડવા મંડ્યા, અને ફરજ પરના ચીફ ઓફિસર સાથે ગેરવર્તન કર્યું તેમણે ગુસ્સામાં એ પણ ભાન ન રહ્યું કે હોસ્પિટલમાં સેફટીના ભાગ રૂપે ફાયર NOC જરૂરી છે. આ કાયદાકીય કાર્યવાહી છે જેમાં કોઈ નું ન ચાલે, પણ કહેવાય છે ને કે મોટા પદ પર બેઠા પછી જમીન પર પગ નથી રહેતા એવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની માલિકીની બિલ્ડિંગ સીલ કરતી વખતે જોવા મળ્યા, ત્યારે મોટો સવાલ એ છે કે શું નિયમ માત્રને માત્ર જનતા માટે નેતાઓ મનફાવે તેમ કરી શકે? જો હોસ્પિટલમાં અગમ્ય કારણસર આગ લાગે ત્યારે પણ વગ જ વાપરશો? સરકારી અધિકારીને પોતાના કામમાં હોદ્દાનો પાવર દેખાડી કામમાં ખલેલ પેદા કરવી કેટલી યોગ્ય? શું સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ સામે પાર્ટી કોઈ કડક કાર્યવાહી કરશે ખરી? કાર્યવાહી જરૂરી છે એમના સામે જ્યાં ફાયર સેફટી નથી, અને એમના સામે પણ જે આ કાર્યવાહીમાં રોળા નાખી રહ્યા છે.