ચાર પાનાની ચિટ્ઠીમાં કોંગ્રેસ નેતાઓને લઈ કરી આ ટકોર
કોંગ્રેસ નેતાઓ આ મહામારીનાં સમયમાં રાજનીતિ કરવાનું બંધ કરે
કોંગ્રેસનાં અમુક નેતાઓ નેગેટિવિટી ફેલાવી રહ્યા છે
ગરીબ અને વંચિત લોકોને ફ્રી માં વેક્સિન
કોંગ્રેસ નેતાઓ આ મહામારીનાં સમયમાં રાજનીતિ કરવાનું બંધ કરે
કોંગ્રેસ નેતાઓના વ્યવહારને લઈ જેપી નડ્ડાએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. ચાર પાનાનાં આ પત્રમાં તેમણે લખ્યું કે આ સમયે હું કોંગ્રેસનો વ્યવહાર જોઈને ઘણો દુખી છું. સાથે જ લખ્યું કે તમારી પાર્ટીનાં થોડા નેતાઓ ઘણું સારું કામ કરી રહ્યા છે.
કોંગ્રેસનાં અમુક નેતાઓ નેગેટિવિટી ફેલાવી રહ્યા છે
આગળ તેમણે લખ્યું છે કે તમારી પાર્ટીનાં અમુક નેતાઓ જે સારું કામ કરી રહ્યા છે પરંતુ તેમના કામને લઈ વરિષ્ઠ નેતાઓ નેગેટિવિટી ફેલાવી રહ્યા છે. ભારત જ્યારે કોરોના સંકટ સામે સાહસથી લડી રહ્યું છે ત્યારે દરેક લોકો ઈચ્છે છે કે કોંગ્રેસ લોકોને ભટકાવવાનું કામ બંધ કરે. કોંગ્રેસ લોકોમાં ભય ફેલાવી રહ્યું છે અને નકામો વિરોધ કરી પોતાની વિચારસરણી મૂકી રહ્યું છે.
ગરીબ અને વંચિત લોકોને ફ્રી માં વેક્સિન
તેમણે આગળ લખ્યું છે કે ભાજપ અને NDA સરકારે પહેલા જ ઘોષણા કરી હતી કે દેશના ગરીબ અને વંચિત વર્ગને ફ્રીમાં વેક્સિન મળશે. મને વિશ્વાસ છે કે જ્યાં જ્યાં પણ કોંગ્રેસની સરકારો છે તે લોકો પણ આ જ અનુભવતી હશે. પણ મારો સવાલ એ છે કે શું એ રાજ્યો ફ્રી માં વેક્સિન આપવાની ઘોષણા કરશે ખરી?નડ્ડાએ લખ્યું છે કે મને મીડિયા દ્વારા ખબર પડી કે સોનિયા ગાંધીએ મને ચિટ્ઠી લખી હતી, પણ મને કોઈ ચિટ્ઠી મળી જ નથી. મને લાગે છે કે આ ચિટ્ઠી તેમણે માત્ર મીડિયા માટે તૈયાર કરી હશે. તેઓ માત્ર રાજકારણ રમી રહ્યા છે. પણ હું મીડિયાને તેનો જવાબ આપું છું એટલે પાછળથી લોકોને ભટકાવવાની યોજના નિષ્ફળ જાય.