રાજકારણ / પશ્ચિમ બંગાળમાં નડ્ડાએ જન સંબોધનમાં કહ્યું, મમતા જી તમારુ જવાનું નક્કી કેમ કે...

bjp president jp nadda reached to west bengal for ahead assembly election ek mutthi chawal campaign

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પોતાના બીજા પ્રવાસ માટે પશ્ચિમ બંગાળ પહોંચી ચૂક્યા છે. સૌથી પહેલા તેમણે વર્ધમાનમાં રાધા ગોવિંદ મંદિરમાં પૂજા કરી. એ બાદ તે જનસભાને સંબોધિત કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદને નમન કર્યા બાદ તેણે કહ્યું કે માનવ મહેરામણ જોઈને સ્પષ્ટ છે કે મમતાનું જવાનું નક્કી છે. ઉલ્લેખનીય છે કે આજે જે પી નડ્ડા એક દિવસીય પ્રવાસ પર પશ્ચિમ બંગાળમાં છે. જ્યાં તેઓ એક મુઠ્ઠી ચાવલ અભિયાનની શરુઆત કરશે. નડ્ડા આ અભિયાન હેઠળ ભારતીય જનતા પાર્ટી બંગાળમાં લગભગ 73 લાખ ખેડૂતો પાસે ડોર ટુ ડોર મુલાકાત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ