ઉત્તરપ્રદેશમાં ચૂંટણી આવતા જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ ખૂબ જ વધારી દીધી હતી. જેના પગલે જેપી નડ્ડાએ મોડી રાત સુધી બ્રજ, પશ્ચિમ અને કાનપુરના લગભગ 39 સાંસદો સાથે બેઠક કરી હતી.
ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ
નવા કેબિનેટ મિનિસ્ટર કરશે શરૂઆત
PM મોદી પણ સ્થાનિક નાગરિકો સાથે કરશે વાત
ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી આવતા જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ ખૂબ જ વધારી દીધી હતી. જેના પગલે જેપી નડ્ડાએ મોડી રાત સુધી બ્રજ, પશ્ચિમ અને કાનપુરના લગભગ 39 સાંસદો સાથે બેઠક કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં જ સમગ્ર ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ભાજપ કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશનના નવા કેન્દ્રીય મંત્રીઓને જન આશીર્વાદ યાત્રા નીકળવાનું કહ્યું છે.
નવા કેબિનેટ મિનિસ્ટર કરશે શરૂઆત
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પણ મંત્રીઓનો સાંસદમાં પરિચય નથી થયો, તે લોકો હવે 16, 17 અને 18 ઓગસ્ટે ઉત્તર પ્રદેશના 4-4 લોકસભાના ક્ષેત્રમાં જન આશીર્વાદ યાત્રા યોજશે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી ખુલ્લી જીપમાં યાત્રા નિકાળશે અને આસપાસની 4 લોકસભા સીટોમાં સ્થાનિક લોકોને મળશે. મુખ્ય રૂપે ભાજપ ઈચ્છે છે કે જે સમાજમાં કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા છે તેઓ પોતાના સમાજના લોકો પાસે જઈ સરકારની ઉપલબ્ધીઓ વિશે લોકોને વાત કરે.
PM મોદી પણ સ્થાનિક નાગરિકો સાથે કરશે વાત
દિલ્હીના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં જે પી નડ્ડાએ કહ્યું કે આગામી ચૂંટણીમાં સાંસદોએ સૌથી વધુ ભાગ લેવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે સાંસદો અને રાજય સરકાર ખેડૂતોના હિતમાં જે પણ પગલાં લેવામાં આવ્યા છે તે વિશે ખેડૂતો અને બીજા નાગરિકોને સુધી પહોંચાડે. સાથે જ તેમણે કહ્યું કે વધુમાં વધુ પોતાના વિસ્તારમાં એક્ટિવ રહે. વધુમાં PM મોદી પણ આગામી 5 ઓગસ્ટના રોજ ઉત્તરપ્રદેશના 80 હજાર કરીયાણાના દુકાનદારો સાથે સીધો સંવાદ કરશે. આ સંવાદ દરમ્યાન બધા જ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ આ દુકાન પણ હાજર રહેશે. આ ઉપરાંત ત્યાંનાં ગામડાઓમાં વેકસીનેશન ઝડપથી વધે તે માટે દુકાનદારોને પ્રેરિત પણ કરશે.