પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બરમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. નડ્ડાનાં બંગાળ આગમને લઈને પ્રદર્શન કરી રહેલા લોકોએ ડાયમંડ હાર્બરથી પસાર થઈ રહેલા કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સાથે તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન નડ્ડાના કાફલામાં શામેલ ભાજપના મહા સચિવ કૈલાસ વિજયવર્ગીયની ગાડીનો કાચ પણ તુટી ગયો હતો. બન્ને નેતાઓ પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકને સંબોધિત કરવા માટે દક્ષિણ 24 પરગના જઈ રહ્યા હતા.
વિજયવર્ગીયની ગાડીનો કાચ તુટ્યો
દિલીપ ઘોષનો આરોપ નડ્ડાની સુરક્ષામાં બેદરકારી
કેન્દ્રએ પશ્ચિમ બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો છે
વિજયવર્ગીયની ગાડીનો કાચ તુટ્યો
ભાજપના અધ્યક્ષના કાફલામાં પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની ગાડી પણ હતી. પ્રદર્શન કરી રહેલા લોકો દ્વારા કરવામાં આવેલા પથ્થર મારાના કારણે વિજયવર્ગીયના ગાડીનો કાચ તુટી ગયો હતો અને આ દરમિયાન મહાસચિવ માંડ માંડ બચ્યા હતા. આ ઘટનાનો તેમણે વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ પહેલા ભાજપે આરોપ લગાવ્યો છે કે ટીએમસીએ ડાયમંડ હાર્બરમાં પાર્ટી કાર્યકર્તાઓ પર હુમલો કર્યો છે. ત્યારે ટીએમસીએ આ આરોપોને નકારી કાઢ્યા છે. ઉલ્લેખનીય છે તે રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. તેવામાં રાજ્યમાં ચૂંટણીની હલચલ વધી રહી છે.
#WATCH Protestors pelt stones at the vehicle of BJP leader Kailash Vijayvargiya in Diamond Harbour
He is on his way to South 24 Paraganas. Protestors also attempted to block the road from where BJP President JP Nadda's convoy was passing
કેન્દ્રીય ગૃહમંત્રાલયના ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાની સુરક્ષામાં બેદરકારીને લઈને પશ્ચિમ બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ સંબંધમાં રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સચિવે આ સંબંધમાં જવાબ દાખલ કરવાનો છે. સૂત્રોએઆ જાણકારી આપી છે.
દિલીપ ઘોષનો આરોપ નડ્ડાની સુરક્ષામાં બેદરકારી
પશ્ચિમ બંગાળ પ્રમુખ દિલીપ ઘોષ કોલકત્તામાં કહ્યું કે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના રાજ્યના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં બેદરકારી દાખવવામાં આવી છે. કાલે તેમના કાર્યક્રમમાં પોલીસની કોઈ હાજરી નહોંતી. મે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રશાસનને આ સંબંધમાં પત્ર લખ્યો છે.
ઉલ્લેખનીય છે કે પ.બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી રાજકારણ ગરમાયું છે. તમામ પાર્ટીઓ બંગાળ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. અમિત શાહ સહિતના નેતાઓના બંગાળ પ્રવાસ કોઈક ને કોઈક કારણો સર વધ્યા છે. દિવસેને દિવસે રાજકારણે ગરમાઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારી ઘટનાને કારણે રાજકીય પાર્ટીઓ આમને સામને નિવેદનબાજી શરુ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ ઘટના પગલે બંગાળ સરકાર શું કાર્યવાહી કરશે તેમજ કેન્દ્રને શું જવાબ મોકશે.