કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાય તે પહેલા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમના પર સવાલોનો વરસાદ કર્યો છે. મંગળવારે જેપી નડ્ડાએ સતત અનેક ટ્વીટ કરી પૂછ્યું કે કોંગ્રેસ પાર્ટી ચીનના મુદ્દા પર જૂઠ્ઠુ બોલવાનું ક્યારે બંધ કરશે.
નડ્ડાએ કહ્યુ રાહુલ પ્રેસ કોન્ફરન્સમાં આનો જવાબ આપે
કોંગ્રેસ ચીનની સામે સરેન્ડર કેમ કરતી રહી- નડ્ડા
શું રાહુલ ગાંધી અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની વચ્ચે થયેલી સમજૂતીઓ રદ્દ કરશે?
નડ્ડાએ કહ્યુ રાહુલ પ્રેસ કોન્ફરન્સમાં આનો જવાબ આપે
જેપી નડ્ડા તરફથી મંગળવારે સતત અનેક ટ્વીટ કરવામાં આવ્યા છે. ભાજપના અધ્યક્ષે લખ્યુ હવે રાહુલ ગાંધી પોતાની એક મહિનાની રજામાંથી પાછા આવી ગયા છે. તો હું તેમને સવાલ પૂછવા માંગુ છું અને મને આશા છે કે તે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં આનો જવાબ આપે.’
Now that Mr. @RahulGandhi has returned from his monthly vacation, I would like to ask him some questions. I hope he will answer them in his today’s Press Conference.
નડ્ડાએ પુછ્યું આખરે રાહુલ ગાંધી, તેમનો પરિવાર અને કોંગ્રેસ ચીનના મુદ્દા પર જુઠ્ઠુ બોલવાનું ક્યાંરે બંધ કરશે? શું તે આ વાતનો ઈન્કાર કરી શકે છે કે હજારો કિમી જમીન જેમાં અરુણાચલનો તે ભાગ પણ સામેલ છે જેનો રાહુલ ગાંધી ઉલ્લેખ કરી રહ્યા છે. પંડિત નહેરુ દ્વારા ચીનીઓને ભેટમાં આપવામાં આવ્યો. સમય સમય પર કોંગ્રેસ ચીનની સામે સરેન્ડર કેમ કરતી રહી.
શું રાહુલ ગાંધી અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની વચ્ચે થયેલી સમજૂતીઓ રદ્દ કરશે?
નડ્ડાએ પુછ્યું શું રાહુલ ગાંધી અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની વચ્ચે થયેલી સમજૂતીઓ રદ્દ કરશે? શું રાહુલ એ પૈસા પાછા આપશે જે ચીનીઓ દ્વારા તેમના પરિવારના ટ્રસ્ટને આપવામાં આવ્યા કે પછી કોંગ્રેસની નીતિઓ તે જ ચીની પૈસા દ્વારા બનતી રહેશે?
રાહુલ વૈજ્ઞાનિકોને અભિનંદન કેમ નથી આપતા
નડ્ડાએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી તરફથી એવી કોઈ તક છોડવામાં નથી આવતી જ્યાં કોરોનાની વિરુદ્ધ ચાલુ દેશની લડાઈમાં મનોબળ તુટી રહ્યા હોય. આજે ભારતમાં કોરોનાના સૌથી ઓછા કેસ છે અને દેશના વૈજ્ઞાનિકોએ રસી બનાવી લીધી છે તો વૈજ્ઞાનિકોને અભિનંદન કેમ નથી આપતા.
રાહુલની પાર્ટી સતત આ તમિલ કલ્ચરને દબાવતી રહી છે
નડ્ડાએ લખ્યુ કે કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરવાના અને ભ્રમિત કરવાનું ક્યારે બંધ કરશે? યુપીએ સરકાર દ્વારા સ્વામીનાથન રિપોર્ટને કેમ રોકી દેવામાં આવ્યા છે. એમએસપીને કેમ નથી વધારવામાં આવી. રાહુલ ગાંધી કોઈ મોકો નથી છોડી રહ્યા જેમાં ખેડૂતોને ન ભડકાવી રહ્યા હોય. રાહુલ ગાંધીએ તમિલનાડુમાં જલીકટ્ટુનો આનંદ લીધો. પરંતુ તેમની પાર્ટી સતત આ તમિલ કલ્ચરને દબાવતી રહી છે.
અરુણાચલ પ્રદેશના બોર્ડર વિસ્તારમાં ચીન દ્વારા ગામ વસાવવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અરુણાચલ પ્રદેશના બોર્ડર વિસ્તારમાં ચીન દ્વારા ગામ વસાવવામાં આવ્યું હોવાના સમાચારોને લઈને મંગળવારે પીએમ પર નિશાન સાધ્યું હતુ. તેમણે એક સમાચાર શેર કરતા ટ્વીટ કરી કે, તેમનો દાવો યાદ કરો,‘હું દેશ ઝુકવા નહીં દઉં.’ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સવાલ કર્યો કે મોદી જી એ 56 ઈંચની છાતી ક્યાં છે? કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે સોમવારે આ મામલામાં સરકાર પાસે જવાબ માંગ્યો હતો.