વીટીવી દ્વારા મહાલોકતંત્રની મહાપરિષદનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ પરિષદમાં ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને સમાજ શાસ્ત્રી વિદ્યૃત જોશી હાજર રહ્યા હતા. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ આમને-સામને આવ્યા હતા.
વીટીવી દ્વારા મહાલોકતંત્રની મહાપરિષદનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ પરિષદમાં ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને સમાજ શાસ્ત્રી વિદ્યૃત જોશી હાજર રહ્યા હતા. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ આમને-સામને આવ્યા હતા.
જેમાં કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, દેશનો સૌથી મોટો પડકાર બેરોજગારી છે. સૌથી ઓછી રોજગારીનો દર NDAની સરકારમાં છે. જો વિકાસ થયો હોત તો 151માંથી 99 બેઠક ન આવી હોત. આજે ભાજપના નેતાઓ વિકાસના નામે મત નથી માગી શકતા. ભાજપના નેતાઓ તેમના ભાષણમાં વિકાસની વાતો નથી કરી શકતા. ભાજપે કરેલા કોઈ વાયદા પૂર્ણ નથી થયા. ભાજપમાં મહેનત કરતા લોકોને મંત્રીપદ નથી મળતુ.
અમિત ચાવડાને જવાબ આપતા જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસને આવુ બોલવાનો અધિકાર જ નથી. જાતિવાદને ઉશ્કેરવાનુ કામ કોંગ્રેસે કર્યુ છે. કોઈને ખ્યાલ ન હતો કે વિકાસના નામે વોટ મળે. લોકોને ઉશ્કેરવા રાહુલ ગાંધી જતા હતા. કોંગ્રેસ સરકારમાં ઘણા ભ્રષ્ટાચાર થયા છે. સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા પાકિસ્તાન અને કોંગ્રેસ માંગે છે. કોંગ્રેસ અને પાકિસ્તાન એક જ ભાષા બોલે છે.
રોજગારી મુદ્દે વાઘાણીએ કહ્યું કે, વિકાસના કારણે રોજગારી મળી રહી છે. બેરોજગાર હાર્દિક પટેલ ગાડીઓમાં ફરે છે. દેશનો સૌથી મોટો પડકાર બેરોજગારી છે.
ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા આમને-સામને છે ત્યારે અનેક સવાલો કરવામાં આવ્યા હતા. ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય અંગે દિગ્ગજોનું શું કહેવું છે? ચૂંટણીમાં જાતિ અને ધર્મને મહત્વ કેમ આપે છે રાજકીય પક્ષો? ઉમેદવાર પસંદગીમાં જાતિનો વિકલ્પ શા માટે? ચૂંટણી આવતા કેમ યાદ આવે છે જાતિ અને ધર્મ? સ્થાનિક પક્ષોના ચૂંટણી લડવાથી કોને થશે ફાયદો?