ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બનાસકાંઠાના પ્રવાસે જશે ત્યારે ઉત્સાહના અતિરેકમાં જિલ્લા ભાજપે પોસ્ટરમાં મોટો છબરડો કર્યો છે. પાટીલના સ્વાગત પોસ્ટરમાં ભૂલ સામે આવી છે.
પ્રદેશ પ્રમુખના સ્વાગત કરવાનાના અતિરેક ઉત્સાહમાંમાં જિલ્લા ભાજપે ભૂલ કરી છે. ભાવભર્યું આમંત્રણના સ્થાને ભાયભર્યું આમંત્રણ લખીને પોસ્ટરે લગાવી દેવામાં આવ્યા છે. સી આર પાટીલના સ્વાગતના પોસ્ટર સમગ્ર જિલ્લામાં લાગ્યા છે.
સી.આર.પાટીલના બનાસકાંઠા પ્રવાસ અગાઉ વિવાદ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના બનાસકાંઠા પ્રવાસ અગાઉ વિવાદ થયો છે. બનાસકાંઠાના ખેડૂતોએ વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યો છે કે સી.આર.પાટીલના પ્રવાસને લઇ દાંતીવાડા ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. ગઇકાલે નર્મદા ડેમનું પાણી દાંતીવાડા ડેમમાં છોડાયું છે. ત્યારે ખેડૂતોએ દાંતીવાડા ડેમમાં સતત પાણી ચાલુ રાખવા માગ કરી છે. અને ખેડૂતોએ ચીમકી પણ આપી છે કે જો સી.આર.પાટીલના પ્રવાસ બાદ પાણી બંધ થશે તો આંદોલન કરાશે. ખેડૂતોએ સુજલામ-સુફલામ કેનાલમાં પણ પાણી છોડવા માગ કરી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખનો સી.આર.પાટીલના પ્રવાસનો કેવી શે બ્લ્યુ પ્રિન્ટ ?
સોમનાથ થી સવૈયાધામની યાત્રા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પૂર્ણ કર્યો અને હવે ઉતરગુજરાતમા મા અંબાના દર્શન કરીને ઉત્તર ગુજરાતના પ્રવાસના શ્રી ગણેશ કરશે. ઉતરગુજરતના પ્રવાસની ભાજપના પ્રદેશ પ્રમુખનો સી.આર.પાટીલના પ્રવાસનો કેવી શે બ્લ્યુ પ્રિન્ટ ?
અંબાજી માતાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરશે
ભાજપના નવનિયુક્ત ગુજરાતના પ્રવાસ યોજીને રાજ્યમાંભરમાં ભાજપના સંગઠનો ચિતાર મેળવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સોમનાથ શરૂ કરેલો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પ્રવાસ મુખ્યમંત્રીના ગઢને આવરીને દલિતસમુડાયના આસ્થા કેન્દ્રગણાતા સંત સવૈયાધામ ઝાંઝરકા ખાતે પૂર્ણ થયો હતો. ત્યાર બાદ હવે ઉત્તર ગુજરાત એટલે કે પાટીદાર અને ચૌધરી નેતૃત્વના હબ ગણાતા તેમજ હાલના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના ગઢમાં યોજશે. ત્યારે ઉત્તર ગુજરાતના પ્રવાસમાં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ 3 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાતાથી અંબાજી માતાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરશે.
ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજીને પોતાની કાર્યશૈલનો પરિચય આપશે
ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ બનાસકાંઠા,પાટણ,મહેસાણા,ગધીનગર,સાબરકાંઠા અને અરવલ્લીના મોડાસા ખાતે ત્રણ દિવસના પ્રવસની 5 સ્પેમ્બરના રોજ પુર્ણાહુતી કરશે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટીલ દિવસમાં પ્રત્યેક જિલ્લામાં કાર્યકરો અને આગેવાનો અને જનસઘ તેમજ ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજીને પોતાની કાર્યશૈલનો પરિચય આપશે.
ભાજપના પ્રમુખનો સૌરાષ્ટ્ર પ્રવાસ કોરના મહામારી વચ્ચે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો
કોરોના મહામારી મેવાલડા હોય કે લગ્ન સમારંભ ચોક્કસ ગાઈડલાઈન સાથે યોજવાની પરમિશન છે. ત્યારે કોરોના મહામારી પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પ્રવાસમા કાર્યકરો ઉત્સાહ અતિરેક કારણે સોસીયલ ડિસન્ટનું પણ ભાન ભુલાયું હતું. કોરોના મહામારી વચ્ચે આયોજકો ગરબા પરમિશન માંગી રહ્યા છે,ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખના પ્રવાસન ઉત્સાહમાં કાર્યકરો ગરબા યોજ્યા હતા. એટલે કે ભાજપના પ્રમુખનો સૌરાષ્ટ્ર પ્રવાસ કોરના મહામારી વચ્ચે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો. ઉત્તર ગુજરાતમાં હવે કોરોના ગાઈડલાઈન પાલન સાથે આયોજન કરવાની પણ ભાજપના નેતાએ કહી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સોમનાથ થી સવૈયાધામની યાત્રા ચર્યા જગાવી હતી. ત્યારે હવે મા અબના અને ઉમિયા ધમના દર્શન સાથે ઉત્તર ગુજરાતના પ્રવાસ કેવો રહે છે, તે તો જોવું જ રહ્યું
3 સપ્ટેમ્બરથી કરશે ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત
યાત્રાધામ અંબાજીમાં દર્શન કરી કરશે યાત્રાની શરૂઆત
અંબાજીથી ડીસામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને મળશે
બનાસકાંઠામાં કાર્યક્રમ પૂર્ણ કરીને પાટણ જિલ્લામાં આવશે