રથયાત્રા પર હાઇકોર્ટનો નિર્ણય આવ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાનાં પશ્ચિમ બંગાળની મુલાકાત રદ્દ કરી દીધી છે. અમિત શાહે રથયાત્રાને માટે આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે જવાના હતાં પરંતુ હાઇકોર્ટે રથ યાત્રાની પરવાનગી ન આપતા તેઓએ પોતાની મુલાકાતને રદ્દ કરી નાખી.
મીડિયા સમક્ષ વાતચીત કરતા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે "પશ્ચિમ બંગાળમાં લોકતાંત્રિક વ્યવસ્થાનું દહન થઇ રહેલ છે. મમતા સરકાર લોકતંત્રનું ગળું દબાવી રહેલ છે. શાહે વધુમાં જણાવ્યું કે મમતાએ ભાજપની યાત્રા રોકી દીધી છે. લેફ્ટ રાજથી વધારે હિંસા મમતા સરકારનાં રાજમાં થઇ રહી છે. માફિયા ગુનાઓ કરે છે અને મંત્રી પનાહ આપે છે. મમતા સરકાર આતંકવાદ પર સકંજો કસવામાં પણ અસફળ રહી.
અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જીએ જેટલું જોર લગાવવું હોય તેટલું લગાવી લે. અમે તો રથયાત્રા નીકાળીને જ રહીશું અને આ માટે અમે ઇંટનો જવાબ ઇંટથી જ આપીશું. તેઓએ કહ્યું કે રથયાત્રા 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરનાં રોજ શરૂ થવાની હતી.
અમે પ્રશાસન પાસે પરવાનગી માંગી હતી. 2 12 અને 20 નવેમ્બરનાં રોજ રિમાઇન્ડર મોકલવામાં આવ્યાં. પછી 14 20 અને 23 નવેમ્બરનાં રોજ પોલીસને રિમાઇન્ડર મોકલવામાં આવ્યાં પરંતુ અમને પરવાનગી ન આપવામાં આવી.
એવામાં ભાજપે કહ્યું કે કોર્ટ ભલે રથયાત્રાની અનુમતિ ના આપે કૂચબિહારમાં રેલી જરૂરથી આયોજિત કરાશે. જો આનાંથી કાયદાકીય વ્યવસ્થાની સમસ્યા પેદા થાય છે તો તેનાં માટે સરકાર અને પ્રશાસન જવાબદાર રહેશે.
Calcutta High Court division bench accepts BJP’s Rath Yatra appeal against single bench order which refused permission to hold the Rath Yatra till next hearing on January 9 2019.