અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસ માટે આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે. મળતી માહિતી અનુસાર અમિત શાહ આજે યોજાનારા આનંદીબેન પટેલ પરના પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજરી આપશે.
આ કાર્યક્રમ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને આનંદીબહેન પટેલ એક મંચ પર જોવા મળશે. આનંદીબહેન પર લખાયેલા પુસ્તકના વિમોચનમાં હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ તેઓ આખો દિવસ નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક અને મુલાકાત કરશે. કાર્યક્રમ બાદ તેઓ CM સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના છે. ત્યારબાદ 17 માર્ચે સવારે અમિતશાહ દિલ્હી જવા રવાના થશે.