નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઇ ગયું છે. PM મોદી લાલકૃષ્ણ અડવાણી સુષ્મા સ્વરાજ જેટલી અને મુરલી મનોહર જોશીની હાજરીમાં પરિષદ યોજાઇ છે. ગુજરાતમાંથી 600 કાર્યકર્તાઓ અધિવેશનમાં જોડાયા છે. દેશભરમાંથી 16 હજાર જેટલા કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પોતાના શરૂઆતી સંબોધનમાં ભાજપના કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી 2019ને યુદ્ધની જેમ લડવા કહેવાયું છે.
રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ ચૂંટણી નથી આ યુદ્ધ છે અને તેને જીતવા માટે કાર્યકર્તાઓને સંપૂર્ણ તાકાતથી લાગી જવું પડશે. અમિત શાહે કહ્યું કે 2019ની ચૂંટણી વૈચારિક યુદ્ધની ચૂંટણી છે બે વિચારધારાઓ આમને સામને ઉભી છે 2019નું યુદ્ધ સદીઓ સુધી અસર છોડનાર છે અને એટલા માટે હું માનુ છું કે આ જીતવું ખુબ જ મહત્વપૂર્ણ છે.
રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહનું સંબોધન
એક સપ્તાહમાં 2 ઐતિહાસિક નિર્ણયો કરવામાં આવ્યા: અમિત શાહ
2019ની ચૂંટણીને લઇ અમિત શાહનો હુંકાર
2019 લોકસભા ચૂંટણી માટે BJP સજ્જ: અમિત શાહ
16 રાજ્યોની તાકાત સાથે ચૂંટણી મેદાને ઉતરીશું: અમિત શાહ
2019માં ફરી NDAની સરકાર બનશે: અમિત શાહ
આ ચૂંટણી નથી આ યુદ્ધ છે: અમિત શાહ
સ્વાર્થ અને સત્તાની લડાઇ ચાલી રહી છે: અમિત શાહ
સત્તા મેળવવા ગઠબંધન રચાઇ રહ્યું છે: અમિત શાહ
મહાગઠબંધનમાં નેતા અને નીતિ બન્ને નથી: અમિત શાહ
કેરળ સુધી ભાજપનો ઝંડો ફરકાવીશું: અમિત શાહ
વિપક્ષ પર અમિત શાહના વાર
BJPને હરાવવા તમામ વિપક્ષો એક થયા : અમિત શાહ
એકબીજાનું મોઢુ નહી જોવા વાળા વિપક્ષો હાથ મિલાવી રહ્યા છે: અમિત શાહ
માત્ર ભાજપને હરાવવા વિપક્ષોએ એક થવાની ફરજ પડી એ ભાજપની તાકાત: અમિત શાહ
GSTમાં ફેરફાર અંગે નિવેદન
નાના વેપારીઓને ધ્યાને રાખીને GSTમાં ફેરફાર કર્યો: અમિત શાહ
સ્વાર્થ અને સત્તાની લડાઈ લડવાવાળા ખુલ્લા પડ્યા: અમિત શાહ
2019નો ચૂંટણીજંગ ઈતિહાસનું સર્જન કરશે: અમિત શાહ