ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે દિલ્હીમાં મુલાકાત કરી. આ મુલાકાત ભાજપના 'સંપર્ક ફૉર સમર્થન' અભિયાન હેઠળ કરવામાં આવી છે મહેન્દ્ર સિંહ ધોનીને મળવા પહોંચેલા અમિત શાહની સાથે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર હતા.
ભાજપના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજનીતિક સમર્થનો સુધી પહોંચવાનો છે આ સાથે જ જાણીતી હસ્તીઓને પણ આ કાર્યક્રમ સાથે જોડવાનો છે આગામી 2019ની લોકસભાની ચૂંટણી માટે પહેલા આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ ભાજપના અધ્યક્ષ અમિત શાહ અત્યાર સુધી રતન ટાટા માધુરી દીક્ષિત લતા મંગેશકર સહિતના 25 જેટલી મોટી હસ્તીઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.
\
As part of "Sampark for Samarthan" initiative met @msdhoni one of the greatest finishers in world cricket. Shared with him several transformative initiatives and unprecedented work done by PM @narendramodi's govt in the last 4 years. pic.twitter.com/dpFnPWTwWn
આ કાર્યક્રમના લોન્ચિંગ દરમિયાન ભાજપની તરફથી નિવેદન આપવામાં આવ્યુ હતુ કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિભિન્ન ક્ષેત્રોમાં 1 લાખથી વધારે લોકો સાથે પહોંચ બનાવવાનો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિભિન્ન ક્ષેત્રોના ગૈર-રાજનીતિક હસ્તીઓને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા સરકારની અલગ-અલગ યોજનાઓ વિશે જાણકારી આપવાની છે જેનાથી પાર્ટી પોતાનો પાયો મજબૂત કરી શકે. એટલું જ નહી ભાજપે પોતાના 4000થી વધારે નેતા અને કાર્યકર્તાઓને પણ આ કાર્યક્રમને આગળ વધારવા માટે કહ્યુ છે. પ્રત્યેક કાર્યકર્તા માત્ર 10 પરિવારો સુધી પહોંચ બનાવવાની છે અને ચૂંટણના દિવસે તેમને વોટ નાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.