દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી છે. ત્યારે દિલ્લીમાં ભાજપના બૂથ કાર્યકરોના સંમેલનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કેજરીવાલ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તો સાથે જ કાર્યકરોને કહ્યું કે ભાજપે આ ચૂંટણી સભાઓથી લડવાની નથી પરંતુ ઘરે ઘરે જઈને લડવાની છે. મોહલ્લા મીટિંગ કરીને લડવાની છે.
દિલ્હીમાં ભાજપનું બુથ કાર્યકર્તા સંમેલન
અમિત શાહે કેજરીવાલ સરકાર પર કર્યા પ્રહાર
દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તેવી વ્યક્ત કરી આશા
આ મોહલ્લા મીટિંગની શરૂઆત હું કરવા જઈ રહ્યો છું. અમિત શાહે કહ્યું કે કેજરીવાલજી અખબારોમાં પોતાની તસવીરોવાળી જાહેરાત આપીને અભિનંદન પાઠવી રહ્યાં છે. 5 વર્ષ સરકાર ચલાવ્યાં બાદ આપ હવે કામ શરૂ કરવા જઈ રહ્યા છો. તેમણે કહ્યું કે કેજરીવાલજી દિલ્હી માટે તમે શું કર્યું તે જણાવો.
દિલ્હીની જનતા બધુ સમજી ગઈ છે : અમિત શાહ
દિલ્હીની જનતા બધુ સમજી ગઈ છે. અમિત શાહે કહ્યું કે હાલમાં જ નાગરિકતા સંશોધન કાયદો લઈને આવ્યાં. CAAને કેબિનેટે મંજૂરી આપી, લોકસભાએ પસાર કર્યો પરંતુ કેજરીવાલ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જનતાને ગુમરાહ કરી અને રમખાણો કરાવવાનો કામ કર્યું.
भाजपा को चुनाव सभाओं से नहीं लड़ना है, बल्कि घर-घर जाकर लड़ना है। मौहल्ला मीटिंग करके लड़ना है। इस मौहल्ला मीटिंग की शुरुआत मैं ही करने जा रहा हूं: श्री @AmitShah#DelhiWithBJPpic.twitter.com/6Knp5Mqvyt
મોદીજી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવા જઈ રહ્યાં છે તો દલિત વિરોધી કેજરીવાલ, રાહુલ ગાંધી તેનો વિરોધ કરી રહ્યાં છે.
કેજરીવાલ પર સાધ્યું નિશાન
અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કેજરીવાલ તેમના ફોટાવાળી જાહેરાત આપીને અભિનંદન આપી રહ્યા છે. અરે, મને કહો કે તમે કયું કામ પૂર્ણ કર્યું છે. 5 વર્ષ સરકાર ચલાવ્યા બાદ હવે તમે કામ શરૂ કરી રહ્યા છો. અમે કહ્યું હતું કે અમે દિલ્હીમાં અનધિકૃત વસાહતોને સત્તા આપીશું. નરેન્દ્ર મોદીએ અનધિકૃત વસાહતોને અધિકૃત કરવાનું શરૂ કર્યું છે.