ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. એવું માનવામાં આવે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો આગામી થોડા દિવસોમાં જાહેર કરવામાં આવશે, પરંતુ પીએમ મોદી રાજસ્થાનના માનગઢની બોર્ડર પર એક મોટો કાર્યક્રમ યોજી ગુજરાતના આદિવાસીઓની સાથે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓને પણ રીઝવવાનું કામ કરશે.
એક મોટો કાર્યક્રમ આયોજિત કરવાની તૈયારીમાં ભાજપ
આદિવાસી મતદારોને આકર્ષવા ભાજપનો માસ્ટર પ્લાન
બાંસવાડા જિલ્લાના માનગઢ ધામને પવિત્ર ધામ માને છે આદિવાસીઓ
ભાજપ ગુજરાતમાં યોજાવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણીની સાથે આગામી વર્ષે યોજાનારી રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણી પહેલા એક મોટો કાર્યક્રમ આયોજિત કરવાની તૈયારીમાં છે. ભાજપ આદિવાસી મતદારોને આકર્ષવા માટે 1લી નવેમ્બરે રાજસ્થાનના માનગઢ ધામમાં એક મોટો કાર્યક્રમ આયોજિત કરવાની તૈયારીમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે માનગઢમાં 109 વર્ષ પહેલા સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પીએમ મોદી આદિવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી એક મોટી વોટ બેંકને આકર્ષવાનું કામ કરશે.
પીએમ મોદી પણ પહોંચશેઃ વીડી શર્મા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનગઢમાં એક મોટી જનસભાને સંબોધવાની તૈયારીમાં છે. આ જનસભામાં ગુજરાતના આદિવાસી મતદારોની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશના આદિવાસી મતદારો પણ સામેલ થશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ જણાવ્યું કે, મધ્યપ્રદેશના આદિવાસી બહુલ વિસ્તાર ઝાબુઆ અલીરાજપુર અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ માનગઢ ધામ પહોંચશે. આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ સામેલ થશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, માનગઢ એક એવી જગ્યા છે, જ્યાં આદિવાસીઓના બલિદાનને જાણાવાની જરૂર છે, ત્યાં પીએમ મોદી પહોંચશે.
રાજસ્થાનના માનગઢની બોર્ડર પર એક મોટો કાર્યક્રમ યોજાશે
ખરેખર તો ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. એવું માનવામાં આવે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો આગામી થોડા દિવસોમાં જાહેર કરવામાં આવશે, પરંતુ પીએમ મોદી રાજસ્થાનના માનગઢની બોર્ડર પર એક મોટો કાર્યક્રમ કરીને ગુજરાતના આદિવાસીઓની સાથે એમપી અને રાજસ્થાનના આદિવાસીઓને પણ સાધવાનું કામ કરશે.
3 રાજ્યોના આદિવાસી વિસ્તારો સુધી પહોંચશે ગૂંજ
બાંસવાડા જિલ્લાના માનગઢ ધામને આદિવાસીઓ પવિત્ર ધામ માને છે. નરેન્દ્ર મોદી 10 વર્ષ પહેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અહીં આવ્યા હતા. રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલ માનગઢ આદિવાસીઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે, અહીં આયોજિત થનારા કાર્યક્રમની ગૂંજ 3 રાજ્યોના આદિવાસી વિસ્તારો સુધી પહોંચશે અને આ જ કારણ છે કે ભાજપે એક મોટો કાર્યક્રમ અહીં આયોજિત કરવા માટે પ્લાન તૈયાર કર્યો છે. આ કાર્યક્રમ મધ્યપ્રદેશની દૃષ્ટિએ પણ મહત્વનો બની રહેશે.
આવતા વર્ષે યોજાશે MPની વિધાનસભાની ચૂંટણી
આવતા વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2018માં આદિવાસી વિસ્તારોમાં નબળી પડી ગયેલી ભારતીય જનતા પાર્ટી સતત પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓને સાધવા માટે અત્યાર સુધી ઘણા મોટા કાર્યકર્મો યોજી ચૂકી છે અને હવે માનગઢ ધામમાં એક મોટો કાર્યક્રમ યોજીને પ્રદેશના આદિવાસીઓ સુધી મોટો સંદેશ પહોંચાડવાની તૈયારી છે.