પ્રજ્ઞા સિંહે લોકસભામાં SPG સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન ગોડસેનો હવાલો 'દેશભક્ત' તરીકે આપ્યો
હંગામો થયા બાદ સ્પીકરે પ્રજ્ઞાના નિવેદનને લોકસભાની કાર્યવાહીથી હટાવી દેવાયું
પ્રજ્ઞા ઠાકુરે આ નિવેદન બુધવારે (27 નવેમ્બર) આપ્યું છે. જોકે, હંગામો થયા બાદ સ્પીકરે પ્રજ્ઞાના આ નિવેદનને લોકસભાની કાર્યવાહીથી હટાવી દેવાયું છે. નોંધનીય છે કે, આ પહેલીવાર નથી કે પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને દેશભક્ત બતાવ્યા હોય.
પ્રજ્ઞા ઠાકુરે શું કહ્યું
ગૃહમાં જ્યારે દ્રમુક સદસ્ય એ રાજા ચર્ચામાં ભાગ લેતા નકારાત્મક માનસિકતાને લઇને ગોડસેનું ઉદાહરણ આપ્યુ તો પ્રજ્ઞા પોતાના સ્થાનેથી ઉભા થયા. તેમણે ઉભા થઇને કહ્યું દેશભક્તોનું ઉદાહરણ ન આપો. તેના પર કોંગ્રેસના ઘણા સદસ્યોએ આપત્તિ દર્શાવી. નિવેદન પર વિવાદ વધ્યા બાદ જ્યારે પ્રજ્ઞા સિંહ ઠાકુરને પત્રકારોએ સવાલ કર્યો તો તેઓએ કહ્યું કે હું કાલે જવાબ આપીશ.
#WATCH BJP MP Pragya Singh Thakur on reports of her referring to Nathuram Godse as 'deshbhakt' in Lok Sabha: Pehle usko poora suniye, mai kal dungi jawab. pic.twitter.com/4xieTz5HpH
આ દરમિયાન સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી ભોપાલથી ભાજપના સદસ્ય પ્રજ્ઞાને બેઠવા માટે ઇશારો કરતા નજરે પડ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસ સદસ્યોને બેસવાની અપીલ કરતા કહ્યું કે માત્ર એ રાજાની વાત રેકોર્ડ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પ્રજ્ઞા સિંહ ઠાકુર આ પહેલા પણ ગોડસેને દેશભક્ત બતાવી ચુકી છે. જેને લઇને વિવાદ ઉભો થયો હતો. ત્યારે બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે એક ન્યુઝ ચેનલને જણાવ્યું કે, પાર્ટી પ્રજ્ઞા સિંહ ઠાકુર પર કાર્યવાહી કરી શકે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ક્યારેય મનથી માફ નહીં કરી શકે
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર આપવામાં આવેલા વિવાદિત નિવેદનોની કડક ટીકા કરી હતી. એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તે સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય મનથી માફ કરી શકશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે આવા તમામ નિવેદન પૂર્ણ રીતે ખોટા છે.
નોંધનીય છે કે, થોડાક દિવસો પહેલા જ મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપની સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને રક્ષા મંત્રાલયની સંસદીય સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે. આ કમિટીની આગેવાની રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે.