કૃષિ કાયદાને લઈને દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના એક પોસ્ટરને લઈને મોટો વિવાદ સામે આવી રહ્યો છે.
કૃષિ કાયદાના વિરોધ વચ્ચે ભાજપે પોસ્ટરમાં બાફ્યું
ભાજપે પોસ્ટર શેર કરીને કહ્યું જુઓ ખેડૂતો તો ખુશ છે
જે વ્યક્તિનું પોસ્ટર હતું તેણે કહ્યું હું તો સિંઘુ બોર્ડર પર વિરોધ કરું છું
પોસ્ટરે કર્યો વિવાદ
નવા કૃષિ કાયદાઓનાના વિરોધમાં આજે 28માં દિવસે પણ ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું એક પોસ્ટર ભારે વિવાદના આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતનો પોસ્ટર બહાર પડ્યું છે તે ખેડૂતો પોતે આવીને કહી રહ્યો છે કે હું તો આંદોલન કરી રહ્યો છું. ખાસ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ પોસ્ટર બહાર પાડીને કહ્યું હતું કે પંજાબના ખેડૂતો નવા કૃષિ કાયદાથી ખૂબ જ ખુશ છે.
ભાજપે ડિલીટ કરવું પડ્યું
પંજાબની ભારતીય જનતા પાર્ટી દ્વારા પોસ્ટર દ્વારા બતાડવામાં આવ્યું કે ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ છે જે ખેડૂતની તસવીર શેર કરવામાં આવી છે તેનું નામ હરપ્રીત સિંહ છે કે હવે આ પોસ્ટર લઇને સોશ્યલ મીડિયામાં ભારે હોબાળો થઇ હયો છે. જોકે હવે ભારતીય જનતા પાર્ટીએ આ પોસ્ટરને ડિલીટ કરી દીધું છે.
હરપ્રીત સિંહનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ છથી સાત વર્ષ જૂની તસવીરનો ઉપયોગ કર્યો છે. તેણે કહ્યું કે મારી મંજૂરી લીધા વગર જ ભારતીય જનતા પાર્ટીએ આ તસવીરનો ઉપયોગ કરી લીધો છે જ્યારે હું તો સિંઘુ બોર્ડર પર આવેલો છું અને કૃષિ કાયદા સામે પ્રદર્શન કરી રહ્યો છું.
હરપ્રીત સિંહે કહ્યું કે કોઈ પણ આ નવા કાયદાથી ખુશ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર અહિયાં સિંઘુ બોર્ડર પર આવી નથી રહી અને ભાજપને તે જાણવામાં પણ રસ નથી કે ખેડૂતો કૃષિ કાયદા સામે વિરોધ કેમ કરી રહ્યા છે. કૃષિ કાયદાને ખેડૂતોએ નકારી દીધા છે અને હવે તેમનો ગુસ્સો પણ વધી રહ્યો છે.
શું કહ્યું ભાજપ નેતાએ ?
ભારતીય જનતા પાર્ટીએ હાલ તો તે પોસ્ટર હટાવી દીધું છે અને પંજાબના ભાજપ ચીફ અશ્વિની શર્માએ કહ્યું મને હજુ તેની જાણકારી નથી, હું ચેક કરીને કહીશ.
નોંધનીય છે કે આજે 28માં દિવસે પણ કૃષિ કાયદાના વિરોધનો થઇ રહ્યો છે અને ખેડૂતો પોતાની માંગ લઈને અડગ દેખાઈ રહ્યા છે. સરકાર કહી રહી છે કે તે ચર્ચા કરવા તૈયાર છે ત્યારે ગઈકાલે ખેડૂત અગ્રણીઓ દ્વારા બેઠક કરવામાં આવી હતી પણ તેમાં કોઈ નિર્ણય આવી શક્યો નહીં. આજે ફરીથી ખેડૂતો મોટી બેઠક કરવાના છે અને માનવામાં આવી રહ્યું છે કે તેમાં કોઈ નિર્ણય આવી શકે છે.