ગુજરાતમાં બ્રાહ્મણોના મત માટે ભાજપે રણનીતિ ઘડી છે. યુપી પેટર્ન મુજબ ગુજરાતમાં પણ બ્રાહ્મણોના મત મેળવવા માટે કમિટી બનાવવવામાં આવી છે. રાજકોટમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બની છે.
ભાજપે બ્રાહ્મણ મત માટે કમિટી બનાવી
રાજકોટમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર ઝોનની બની કમિટી
ભાજપનો પ્રચાર કરશે બ્રહ્મસમાજની કમિટી
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેંમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. જેમાં ભાજપ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભાજપે બ્રાહ્મણ મત માટે રણનીતિ ઘડી નાખી હતી. ઉત્તર પ્રદેશની પેટર્ન મુજબ ગુજરાતમાં પણ બ્રાહ્મણોની કમિટી બનાવવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના 5 આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ભાજપે રાજકોટમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બનાવી છે. આ બ્રહ્મસમાજની કમિટી ભાજપનો પ્રચાર કરશે.
સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બની છેઃ રામ મોકરીયા
રાજકોટમાં બ્રહ્મસમાજની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, 'UPની ચૂંટણીમાં બ્રાહ્મણોના મત માટે કમિટી બનાવવામાં આવી હતી. તેમાં સફળતા મળી હતી. જેથી ગુજરાતની ચૂંટણીમાં પણ બ્રહ્મસમાજની કમિટીની રચના કરવામાં આવી છે. રાજકોટમાં બ્રહ્મસમાજમાં સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બનાવવામાં આવી છે.'
આ વખતે 14 ટિકિટ બ્રહ્મ સમાજને આપી છે: મોકરીયા
રામ મોકરીયાએ જણાવ્યું હતું કે,'ભાજપ સમર્પિત બ્રહ્મસમાજની કમિટી પ્રચારકાર્ય કરશે. ગુજરાતમાં બ્રહ્મસમાજને ગતટર્મમાં 9 ટિકિટ આપી હતી, આ વખતે 14 ટિકિટ બ્રહ્મ સમાજને આપવામાં આવી છે.'
આગઉ ગુજરાતમાં બ્રાહ્મણોની બનાવી હતી કમિટી
ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે અને ભાજપ એવું દર્શાવી રહી છે કે આગામી ચૂંટણીમાં જીત આશાન છે. હકીકતમાં આ વખતે ભાજપને શહેરી વિસ્તારમાં ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમ પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરાતમાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા ભાજપે ગુજરાતમાં બ્રાહ્મણોની કમિટી બનાવી હતી. જેમાં સાંસદ રામ મોકિરીયા, ભાર્ગવ ભટ્ટ, યજ્ઞેશ દવે, રંજન ભટ્ટ અને જ્હાનવી વ્યાસનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ભાજપે ગુજરાતમાં પણ બ્રાહ્મણોની બનાવી કમિટી
છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે 2017માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરીની ચૂંટણી જંગ જામી હતી. હંમેશા 3 આંકડામાં જીતતા ગુજરાત ભાજપને 99 બેઠક જીતી સંતોષ માનવો પડ્યો હતો. પણ આ વખત ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ નક્કી છે. શહેર બેઠકો પર ભાજપનું રાજ છે જ્યારે ગામડાઓ પર કોંગ્રેસનું વર્ચસ્વ પણ AAPની મજબૂત ઈનિંગથી ભાજપ અને કોંગ્રેસમાં ડરનો માહોલ છે. કોઈ પણ ભોગે ભાજપ ચૂંટણીમાં ઢીલી નીતિ રાખવા માંગતું નથી. તેથી બ્રહ્મ સમાજના મતો મેળવવા માટે આ કમિટીની બનાવવામાં આવી છે.