દિલ્હી: 2019 લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને યુપીમાં ભાજપે નવી રણનીતિ બનાવી છે. સપા-બસપા ગઠબંધનને કારણે અને ભાજપના સાંસદો સામે વધતી નારાજગીને લઈને ભાજપ પોતાના દિગ્ગજોને મેદાને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. હજુ સપા બસપા ગઠબંધન કરશે કે કેમ તે તો સવાલ છે. પરંતુ ભાજપ પાણી પહેલા પાળ બાંધવા કામે લાગી છે.
ઉલ્લેખનીય છે કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા પ્રમાણે ભાજપનો ઉદ્દેશ્ય એ વાત સુનિશ્ચિત કરવાનો છે કે બંને કટ્ટર વિરોધી પક્ષો એકસાથે આવે જ નહીં. તેમ છતાંયે જો સપા-બસપા 2019માં એકસાથે ચૂંટણી લડે તો તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાર્ટી પોતાને તૈયાર કરી રહી છે.
આ સાથે જ પાર્ટી હાઈકમાંડે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તે 71 વિજયી ઉમેદવારોમાંથી 50ને આ વખતે તક નહીં આપે. આ સ્થિતિમાં પાર્ટી જીતી શકે તેવા ઉમેદવારોની જરૂર છે જ એનાથી રાજ્યમાં બેઠકોનું ગણીત બગડે નહીં. ઉત્તરપ્રદેશમાં શાનદાર પ્રદર્શન જ NDAને સત્તામાં પાછા ફરવાનો માર્ગ સરળ બનાવી શકે છે.
જેને લઈને ભાજપ આ દિગ્ગજ નેતાઓને મેદાને ઉતારશે. જેની વાત કરીએ તો કેબિનેટ મંત્રી સતીશ મહાના એસપી શાહી દારાસિંહ ચૌહાણ એસ.પી.એસ બઘેલ અને સ્પીકર નારાયણ દીક્ષિત સહિતના કેટલાક મોટા નેતાઓને ચૂંટણી લડવા ઉતારશે.
ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં 2019નો મહા ચૂંટણી જંગ યોજાવાનો છે ત્યારે ભારતના તમામ પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. જેને અનુસંધાને ભાજપે પણ આગામી ચૂંટણીને ધ્યાને લઇ કમર કસી છે. આવનાર સમયમાં ઉત્તર પ્રદેશ ખાતે ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા એક ખાસ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પ્લાનમાં આગામી ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓને ઉતારવાનું છે જેના દ્વારા સરળતાથી ચૂંટણી જંગ જીતી શકાય.