PM મોદીએ કહ્યું કે એક એવી ધારણા છે કે ખેલાડી હોય એ શાળામાં જઈને ભણી નથી શકતા, જે ખોટી છે.
ઑલિમ્પિક્સમાં ભારતના ખેલાડીઓ દેશનું નામ રોશન કર્યું
ખેલકૂદ માટે સાંસદોને PM મોદીએ આપ્યા આદેશ
આ સિવાય આયુષ્માન કાર્ડને લઈને પણ સાંસદોને જાગૃતિ ફેલાવવા માટે કહ્યું
સંસદ ભવનમાં આજે ભારતીય જનતા પાર્ટીની બેઠક કરવામાં આવી હતી જેમાં PM મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચોમાસું સત્રનાં કામકાજને લઈને સમીક્ષા કરવામાં આવી હતી તથા હવે પાર્ટીની સ્ટ્રેટજી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રમત ગમતને લઈને સાંસદોને PM મોદીની ટકોર
PM મોદીએ કહ્યું કે એક એવી ધારણા છે કે ખેલાડી હોય એ શાળામાં જઈને ભણી નથી શકતા, જે ખોટી છે. સાંસદો પોત-પોતાના ક્ષેત્રોમાં જઈને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેનાં કાર્યો કરે તથા ગ્રામીણ પ્રતિભાઓને આગળ વધારે. બધા જ સાંસદો તંદરૂસ્ત દીકરા-દીકરીની પ્રતિયોગિતા કરાવે તથા આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ સાંસદોને ટકોર આપવામાં આવી છે.
આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ મુદ્દે PM મોદીએ આપ્યા નિર્દેશ
નોંધનીય છે કે આ બેઠકમાં PM મોદીએ આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ પર પણ ચર્ચા કરી હતી. PM મોદીએ કહ્યું કોઈ ગરીબ પરિવાર આ કાર્ડનાં ફાયદામાંથી બહાર ન રહી જવો જોઈએ. સાંસદો આ કાર્ડનાં ફાયદા માટે મિશન મોડમાં કામ કરે અને તે માટે અભિયાન ચલાવે. આ સિવાય PM મોદીએ સાંસદોને કિસાન સમ્માન નિધિ વિશે ખેડૂતોને જાણકારી આપવા માટે કહ્યું છે.
PM મોદી લાલઘૂમ
નોંધનીય છે કે PM મોદીએ પોતાના કાર્યકાળમાં અનેક વાર સાંસદોને હાજરીને લઈને ટકોર કરી છે. આ પહેલાનાં સત્રમાં પણ આવા જ મીડિયા અહેવાલ આવ્યા હતા જેમાં PM મોદીએ કડક શબ્દોમાં સાંસદોને સંસદમાં હાજર રહેવા માટે આદેશ આપ્યા હોય. એવામાં આ વખતે PM મોદી વધારે નારાજ હોય તેવું લાગી રહ્યું છે.
PM મોદીએ ભારતીય જનતા પાર્ટીના સાંસદોને કડક આદેશ આપી દીધા છે, PM મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે સાંસદો એ સંસદમાં તો હાજર રહેવું જ પડશે. મીડિયા અહેવાલ અનુસાર PM મોદીએ ફરી કડક શબ્દોમાં ટકોર કરતાં આદેશ આપ્યા છે કે સદનની કાર્યવાહી સમયે તે હાજર રહે, આ ઉપરાંત જે સાંસદો સતત ગેરહાજર રહે છે તેમની સામે PM મોદીએ નારાજગી પણ વ્યક્ત કરી છે. આટલું જ નહીં જે સાંસદો રાજ્યસભામાં નાણાં મંત્રાલયનાં બીલ રજૂ થયા ત્યારે ગેરહાજર હતા તેમની લીસ્ટ પણ મંગાવી લેવામાં આવી છે.
ક્યો મોટો નિર્ણય લેવાયો?
નોંધનીય છે આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેને રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. મોદી સરકારનાં નવા મંત્રીઓ હવે પોતાની જન આશીર્વાદ યાત્રા શરૂ કરશે.