મહાત્મા ગાંધીને લઈને વિવાદિત નિવેદનના બાદ BJP સાંસદ અનંત હેગડેથી પાર્ટી નારાજ છે. ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠકમાં તેમની એન્ટ્રી પર બૅન મૂકવામાં આવ્યો છે.
મહાત્મા ગાંધી પર વિવાદિત નિવેદનને લઈને નિર્ણય
BJP સંસદીય દળની બેઠકમાં અનંત હેગડે નહીં થઈ શકે સામેલ
BJP સંસદીય દળની બેઠકમાં તેમની એન્ટ્રી પર બૅન
હેગડેએ બેંગુલુરુના એક કાર્યક્રમમાં દાવો કર્યો કે આઝાદીની લડાઈ અંગ્રેજોની સહમતિ અને સાથે જ સહયોગની સાથે લડવામાં આવી હતી. મહાત્મા ગાંધીના નેતૃત્વની લડાઈ એક નાટક હતું. તેઓએ કહ્યું કે સ્વતંત્રતા આંદોલન અંગ્રેજોની સહમતિ અને સમર્થનથી લડવામાં આવેલું એક નાટક હતું.
કોંગ્રેસે પીએમ મોદી પાસે સ્પષ્ટ સ્થિતિની માંગ કરી
હેગડેના નિવેદનને લઈને મુશ્કેલી દેખાડતા કોંગ્રેસે પીએમ મોદીની પાસે સંસજમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી છે. થોરાટે કહ્યું કે ભાજર સાંસદ અનંતકુમાર હેગડેનું નિવેદન નિંદનીય છે. ભાજપના નેતૃત્વના બોદ્ધિક સ્તરને દેખાડે છે. તેના માતૃ સંગઠન, આરએસએસએ અંગ્રેજોની સાથે મળીને સ્વતંત્રતા સંગ્રામનો વિરોધ કર્યો હતો.
હેગડેની ટિપ્પણીએ સ્વતંત્રતા આંદોલનનું કર્યું અપમાન
હેગડેની ટિપ્પણીએ ભાજપનો ચહેરો દેખાડ્યો છે. જે નાથૂરામ ગોડસેની પોતાના આદર્શ રૂપમાં પ્રશંસા કરે છે.
રાજ્યના મંત્રી અને રાકાંપાના વરિષ્ઠ નેતા જયંત પાટિલે કહ્યું કે હેગડેએ પોતાની ટિપ્પણીથી સ્વતંત્રતા આંદોલનનું અપમાન કર્યું છે. રાકાંપા પ્રમુખે કહ્યું કે ભાજપ મહાત્મા ગાંધીના નામનો ઉપયોગ કરીને સત્તામાં આવી છે અને રાષ્ટ્રપિતાનું અપમાન કરી રહી છે. પીએમ મોદી સાંસદના નિવેદન સાથે અસહમત હોય તો તેમને પાર્ટીથી નિકાળી દેવા જોઈએ.