ભારતીય જનતા પાર્ટીની આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક થઈ રહી છે. આ બેઠક દિલ્હીમાં આંબેડકર ભવનમાં થઈ રહી છે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ચારમાં જીત
ભાજપની સંસદીય દળની બેઠક
ભાજપના દિગ્ગજો પહોંચ્યા
ભારતીય જનતા પાર્ટીની આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક થઈ રહી છે. આ બેઠક દિલ્હીમાં આંબેડકર ભવનમાં થઈ રહી છે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે. ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ બેઠકમાં હાજર રહ્યા છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે હાલમાં જ ભાજપે ચાર રાજ્યોમાં શાનદાર જીત મેળવી છે. ત્યારે આવા સમયે આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે.
Delhi | Prime Minister Narendra Modi arrives at Ambedkar Bhavan to attend Bharatiya Janata Party's Parliamentary Party meeting pic.twitter.com/ol2iLnZoUo
કહેવાય છે કે, પીએમ મોદી ભાજપ સાંસદોને સંબોધન કરશે, ઉપરાંત બજેટ સત્રના પ્રથમ દિવસે સદનમાં ભાજપના સાંસદોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પીષુય ગોયલ, અર્જૂન રામમેઘવાલ, નિતિન ગડકરી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર છે.
લતા મંગેશકરની આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદી અને જેપી નડ્ડાનું માળા પહેરાવાની સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે જ યુક્રેનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ અને શિવમોગામાં આરએસએસ કાર્યકર્તાની હત્યાને લઈને પણ મૌન રાખવામાં આવ્યું હતું.
21 માર્ચે યોગી લઈ શકે છે શપથ
કહેવાય છે કે, 20 માર્ચે યુપીમાં ભાજપની વિધાનમંડળ દળની બેઠક થઈ શકે છે. બેઠકમાં વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવશે. આ દરમિયાન પર્યવેક્ષક તરીકે ગૃહમંત્રી અમિત શાહ અને રઘુવર દાસ પણ હાજર રહી શકે છે. યોગી આદિત્યનાથ 21 માર્ચે શપથ લઈ શકે છે .
ધામી અને મદન કૌશિકને પણ દિલ્હીમાં બોલાવ્યા
આ બાજૂ ભાજપના કેન્દ્રીય નેતૃત્વે ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહેલા પુષ્કર ધામી અને પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકને પણ દિલ્હીમાં બોલાવ્યા છે. જ્યાં ઉત્તરાખંડની હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. માનવામાં આવે છે કે, આ બેઠકમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીની પસંદગી પણ થઈ શકે છે.