ભાજપમાં એક બાદ એક રાજીનામા પડ્યા છે. જામનગરમાં પાર્ટીએ ટિકિટ ન આપતા અસંતોષ ફેલાયો છે. પૂર્વ નગરસેવિકા જ્યોતિ ભારવાડિયાએ પણ રાજીનામું આપ્યું છે.
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થતા જ રોષ જોવા મળ્યો છે. અને ભાજપમાં એક બાદ એક રાજીનામા પડ્યા છે. પૂર્વ નગરસેવિકા જ્યોતિ ભારવાડિયાએ પણ રાજીનામું આપ્યું છે. પાર્ટીએ ટિકિટ ન આપતા અસંતોષ ફેલાયો છે. ગઈકાલે પૂર્વ ડે. મેયર કરસન કરમૂરે રાજીનામું આપ્યું હતું. અને લીગલ સેલના એડવાઇઝર ડાડુભાઇ ભારવાડિયાએ પણ રાજીનામું આપ્યું છે. જ્યારે પૂર્વ નગરસેવિકા મિત્તલ ફળદુએ પણ ટિકિટ ન મળતા વિરોધ નોંધાવ્યો છે. અને અપક્ષ તરીકે ઉમેદવારી કરવાની તૈયારી કરી છે.
ભાજપના આ નેતાઓએ આપ્યું રાજીનામું
આશિષ કંટારિયા, જામનગર
ભાજપના પૂર્વ મહિલા શહેર મંત્રી હંસાબેન ત્રિવેદી
પૂર્વ ડે.મેયર મનસુખ ખાણધર
પૂર્વ નગરસેવિકા જ્યોતિ ભારવાડિયા
પૂર્વ ડે. મેયર કરસન કરમૂરે
લીગલ સેલના એડવાઇઝર ડાડુભાઇ ભારવાડિયા
આશિષ કંટારિયાનું નામ જાહેર થયા બાદ રદ
તો આ સાથે જામનગરમાં આશિષ કંટારીયા અને તેમની માતાએ ભાજપમાંથી રાજનામું આપ્યું છે. વોર્ડ નં-3માંથી આશિષ કંટારીયાનું નામ જાહેર કરાયું હતું. પરંતુ નામ જાહેર કર્યાની કલાક બાદ નામ રદ કરાયું હતું. નામ રદ કરતા આશિષ કંટારીયા નારાજગી દર્શાવી છે. અને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આશિષ કંટારીયા મીડિયા સેલના કન્વીનર હતા. કંટારીયાના માતા ભાજપના પૂર્વ કોર્પોરેટર હતા.
જામનગર ભાજપમાં રાજીનામાના દોર સાથે પક્ષપલટાની શરૂઆત જોવા મળી હતી. ભાજપના પૂર્વ મહિલા શહેર મંત્રી હંસાબેન ત્રિવેદી તથા પૂર્વ ડે.મેયર મનસુખ ખાણધરના પુત્ર પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. શહેર કોંગ્રેસ પ્રમુખે બંનેને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે પક્ષપલટો કરનાર હંસાબેને ભાજપમાં થયેલ અન્યાય અને અસંતોષના કારણે તેઓ કોંગ્રેસમાં જોડાય રહ્યા છે તેવું નિવેદન આપ્યું હતું.