દિલ્હી: ગોવા અને મણિપુર જેવી હાલત કોંગ્રેસની છત્તીસગઢમાં ન થાય તે માટે કોંગ્રેસે આગમચેતી દાખવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢના સ્થાનિક નેતાઓ વચ્ચે એક બેઠકનું આયોજન કરાવ્યું છે અને તેની જવાબદારી AICCના ઈન્ચાર્જ પી.એલ પુનિયાને આપી.
પી.એલ પુનિયાએ બેઠકનું આયોજન કરી AICCના સચિવો સહિત સ્થાનિક ધારાસભ્યોને પણ આમંત્રણ આપ્યું.. આ બેઠકમાં ચાલુ મતદાનને લઈ ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં.. જેમાં તમામ ઉમેદવારોને પરિણામના અંતિમ સમય સુધી ઉભા રહેવા અને પોલિગ એજન્ટો સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું અને ઓપરેટિંગ પ્રક્રિયા પર સતર્ક રહેવા જણાવ્યું.
મહત્વનું છે કે આવતા સપ્તાહે છત્તિસગઢ ચૂંટણીનું પરિણામ આવનાર છે. ત્યારે કોંગ્રેસે હવે તમામ ધારાસભ્યોને એક સાથે રાખવાનું પણ એલાન કર્યું છે. પાર્ટીને વિશ્વાસ છે કે તેઓ આ વખતની ચૂંટણીમાં જીત મેળવશે. તેથી ધારાસભ્યોને સાથે રાખવા પણ ખુબ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ગોવા અને મણિપુરમાં કોગ્રેસની કમાન મજબુત હોવા છતા ભાજપ રાજનીતિનો ચોપાટ રમી સત્તા પર આવી છે અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસને ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે છત્તીસગઢની સરકાર આ વખતે સત્તાનો સરતાજ કોને પહેરાવે છે.