ભાજપમાં હંમેશા "એક વ્યક્તિ એક પદ" નો સિદ્ધાંત લાગુ કરેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકારમાં સામેલ કરવામાં આવેલ આ નેતાઓની જગ્યા પર હવે સંગઠનમાં છૂટા કરવામાં આવેલ નેતાઓમાંથી કોઈને પણ જવાબદારી આપી શકાય તેમ છે.
"એક વ્યક્તિ એક પદ" નો સિદ્ધાંત
પાર્ટીના સંગઠનમા ઘણી મોટી જવાબદારી આપી શકાય
વિધાનસભાની ચૂંટણી થશે આ ચાર રાજ્યોમાં
"એક વ્યક્તિ એક પદ" નો સિદ્ધાંત
ભાજપમાં હંમેશા "એક વ્યક્તિ એક પદ" નો સિદ્ધાંત લાગુ કરેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકારમાં સામેલ કરવામાં આવેલ આ નેતાઓની જગ્યા પર હવે સંગઠનમાં છૂટા કરવામાં આવેલ નેતાઓમાંથી કોઈને પણ જવાબદારી આપી શકાય તેમ છે. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રવિશંકર પ્રસાદ, હર્ષવર્ધન અને પ્રકાશ જાવડેકર સહિત 12 મંત્રીઓની વિદાય બાદ આ બધા જ નેતાઓના રાજકીય ભવિષ્યને લઈ અટકળો વધી રહી છે. અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ મંત્રીઓમાંથી અમુક નેતાઓને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમા ઘણી મોટી જવાબદારી આપી શકાય તેમ છે.
પ્રસાદ, હર્ષવર્ધન, અને જાવડેકર સહિત
ટુડુને જનજાતીય કાર્ય મંત્રાલય અને જલ શક્તિ મંત્રાલયમાં રાજય મંત્રીની નવી જવાબદારી આપવામાં આવી છે. જ્યારે ચંદ્રશેખરને ઇલેક્ટ્રોનિક અને સૂચના મંત્રાલયની સાથે કૌશલ વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી આપવામાં આવી છે. મુરગનને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી સાથે સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હાલ તેઓ કોઈ સદનમાં સભ્ય પણ નથી, એવામાં 6 મહીનાની અંદર કોઈ પણ સદનમાં તેમણે સભ્ય બનવું પડશે. એવું પણ માનવામાં આવે છે કે પ્રસાદ, હર્ષવર્ધન, અને જાવડેકર સહિત કેન્દ્રીય મંત્રીમંડળમાંથી બહાર કરેલ નેતાઓમાંથી ઘણા લોકોને ઘણી મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.
વિધાનસભાની ચૂંટણી થશે આ ચાર રાજ્યોમાં
આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણીપુરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવું પણ માનવામાં આવે છે કે પ્રસાદ, હર્ષવર્ધન, અને જાવડેકર સહિત કેન્દ્રીય મંત્રીમંડળમાંથી બહાર કરેલ નેતાઓમાંથી ઘણા લોકોને ઘણી મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. કારણકે પ્રસાદ અમે જાવડેકર પહેલાં પણ ભાજપ સંગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. નિશંક ઉત્તરાખંડના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જ્યારે હર્ષવર્ધન દિલ્હી ભાજપના અધ્યક્ષ રૂપે કામ કરી ચૂક્યા છે.