ભાજપ દ્વારા ગાંધીજીની જન્મ જયંતિના 150 વર્ષની ઉજવણી નિમિત્તે સંકલ્પ યાત્રા યોજાઈ છે જેનું સમાપન આજે ગાંધી આશ્રમમાં છે. પણ આ યાત્રામાં લોકોની પાંખી હાજરીને કારણે પ્રાથમિક શાળામાંથી 3 શિક્ષકોને હાજર રહેવાની ફરજ પડતા વિવાદનો મધપૂડો છેડાયો છે. ચાલુ શાળાએ શિક્ષકો યાત્રાઓ કરશે તો ભણશે ગુજરાતનું શું થશે?
નક્કી કરવામાં આવ્યો ડ્રેસકોડ
સ્કુલદીઠ 3 શિક્ષકોને હાજર રહેવા કરાયો આદેશ
શિક્ષકો યાત્રાઓ કરશે ભણશે ગુજરાતનું શું થશે?
ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનો આજે ગાંધી આશ્રમ ખાતે સમાપન કરાશે.કાર્યક્રમમાં શિક્ષકોને હાજર રહેવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.સરકાર માટે ભીડ ભેગી કરવાનું કામ વધુ મહત્વનું છે.ભાજપના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા આદેશ આપવામાં આવ્યો.
નક્કી કરવામાં આવ્યો ડ્રેસકોડ
પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાના શિક્ષકોને ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. બપોરે 3.30 કલાકે દરેક સ્કૂલ દીઠ 3 શિક્ષકોને આવવા ફરજ પડાઈ છે. એટલુ જ નહીં પરંતુ તેમનો ડ્રેસકોડ પણ નક્કી કરવામાં આવ્યો છે. સફેદ કપડાં કે ખાદીના કપડાં પહેરીને આવવા સૂચના આપવામાં આવી છે.
ઉઠી રહ્યા છે પ્રશ્નો
કાર્યક્રમમાં શિક્ષકોને ફરજિયાત હાજર રહેવા આદેશ કેમ? ભીડ એકઠી કરવા માટે સરકારનો આવો આદેશ કેટલો યોગ્ય? દરેક શાળામાંથી 3 શિક્ષકને ફરજિયાત હાજર રહેવા આદેશ કેમ? શિક્ષકો કાર્યક્રમમાં જશે તો અભ્યાસ કોણ કરાવશે? પ્રાથમિક શિક્ષણ સમિતિએ શા માટે કર્યો આવો આદેશ? સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેવામાં આવા નિર્ણય કેટલા યોગ્ય? શિક્ષકો ભરવાના સ્થાને સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત કેમ રખાય છે? શિક્ષકો આ જ કામ કરશે તો વિદ્યાર્થિઓના ભવિષ્યનું શું?