હવે શાહીન બાગ પ્રદર્શન પર BJPના નેતાએ કહ્યું, આ CAAની વિરુદ્ધ નહીં, નરેન્દ્ર મોદીજીનો વિરોધ છે. નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ શાહીન બાગમાં એક મહીનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વિપક્ષ પર ફટકાર લગાવતા કહ્યું કે, તેના કારણે સામાન્ય જનતાને તકલીફ પડી રહી છે.
શાહીન બાગ પ્રદર્શન યથાવત
મંત્રી રવિશંકર પ્રસાદે વિપક્ષ પર લગાવી ફટકાર
સીએએનો વિરોધ નથી, તે નરેન્દ્ર મોદીનો વિરોધ છે
કેન્દ્રીય મંત્રીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવતા કહ્યું કે, શાહીન બાગમાં ભારતને તોડવા વાળા બેઠા છે, આ ટુકડે-ટુકડે ગેંગ છે. તેઓએ કહ્યું કે, આ વિરોધ CAA
સીએએનો વિરોધ નથી, તે નરેન્દ્ર મોદીનો વિરોધ છે
કાયદા પ્રધાને કહ્યું કે આ વિરોધ સીએએનો વિરોધ નથી, તે નરેન્દ્ર મોદીનો વિરોધ છે. અમે વારંવાર કહ્યું છે કે નાગરિકતા સુધારણા બિલ કોઈનું નાગરિકત્વ છીનવી લેતું નથી. આ દેશનો દરેક મુસ્લિમ નાગરિક આ દેશમાં ગૌરવ સાથે રહે છે અને રહેશે, અમે વારંવાર કહીએ છીએ કે કહો કે કઇ કલમથી વાંધો છે. પરંતુ તેમના દ્વારા કોઈ કલમ કહેવામાં આવી ન હતી કે અમને આ બાબતથી વાંધો છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે શાહીન બાગ હવે એક વિચાર છે જે દેશને તોડવાનું મંચ બની ગયું છે.
Union Minister & BJP leader Ravi Shankar Prasad: Shaheen Bagh is not an area anymore, it is an idea, where the Indian flag is being used as a cover for the people who want to divide the country, it is being supported by tukde-tukde gang. #CitizenshipAmendmentActpic.twitter.com/U5YzALGJYy
વિરોધીઓ સાથે કેવી રીતે વર્તન કરવું તે દિલ્હી પોલીસને ખબર છે
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે શાહીન બાગમાં વિરોધ કરતા લોકો સાથે વાત કેવી રીતે કરવી કે તે દિલ્હી પોલીસનું કામ છે. આ સાથે જ, ટૂકડે-ટૂકડે ગેંગના પ્રશ્નના જવાબમા, રવિશંકર પ્રસાદે કહ્યું કે, આખો દેશ જોયું છે અને આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ તરફ અદનાન સામીને પદ્મશ્રી આપવાના સવાલ પર તેમણે કહ્યું કે આ મામલે કોંગ્રેસ જણાવે કે તેમનો મત શું છે અને જ્યાં સુધી દિગ્વિજય સિંહનો સવાલ છે, તે ચર્ચામાં રહેવા માંગે છે.
એક મહિનાથી ચાલી રહ્યું છે વિરોધ પ્રદર્શન
શાહીન બાગમાં લગભગ એક મહીનાથી વધારે દિવસોથી મહિલાઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ મહિલાઓએ CAA અને NRCને લઇને સરકારની વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો છે. પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ સરકારને નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને પાછો લેવાની માંગ કરી છે. નજીબની માતા અને રોહિત વેમૂલાની માતાએ મંચથી લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યા.
શાહીન બાગ વિરોધ પ્રદર્શનનો કોઇ માસ્ટર માઇન્ડ નથી
શાહીન બાગના લોકોએ કહ્યું છે કે, આ વિરોધ પ્રદર્શનનો કોઇ માસ્ટરમાઇન્ડ નથી. આ મહિલાઓ દ્વારા ચાલી રહેલું અહિંસક આંદોલન છે. પ્રદર્શનકારીઓ મહિલાઓનું કહેવું છે કે, જ્યા સુધી નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) પાછો નહીં લેવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
છેલ્લા 43 દિવસથી કરાઇ રહ્યું છે વિરોધ પ્રદર્શન
નોંધનીય છે કે, 26 જાન્યુઆરીએ આ વિરોધ પ્રદર્શનને 43 દિવસ પૂર્ણ થયાં છે. આ 43 દિવસોમાં શાહીન બાગ (shaheen Bagh) માં રોજ લોકોએ મોટી સંખ્યામાં પહોંચીને આંદોલનમાં ભાગ લીધો.