ચૂંટણીના ગરમાતા વચ્ચે પક્ષ પલટાની મોસમ પણ જોરશોરથી ખીલતી હોઈ છે. ત્યારે ભાજપમાંથી ટિકિટ ન મળતા સુરત જિલ્લા બે નેતાઓએ રાજુનામું આપ્યું હતું. ઓલપાડ તાલુકા સંગઠન મંત્રી અને બારડોલી નગરના કારોબારી ચેમનેર ભાજપ માંથી રાજીનામુ આપ્યું હતું. સુરત જિલ્લામાં એલ બાદ એક નેતાઓને ટિકિટ ન મળતા કેટલાક લોકો પોતાનો છૂપો રોષ વ્યકત કરી રહ્યા છે. તો ઘણા કાર્યકરોને ટીકીટ ન મળતા પોતાના પદ પરથી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સંગઠન મંત્રી દિપક પટેલ પોતાના વિસ્તારમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપતા પાર્ટીથી નારાજ થઈ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અને પોતે હવે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે તેમ જણાવ્યું હતું. તો બીજું રાજુનામું ભાજપનો ગઢ ગણાતા બારડોલી નગરમાં પડ્યું હતું. રાજેશ કાયસ્થ પોતે કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ નગર ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.
જોકે તેમને એક નહિ ત્રણ વોર્ડમાંથી ટિકિટ માગી હતી. પરંતુ ત્રણમાંથી એકપણ વોર્ડમાંથી ટિકિટ મળી નથી. લાગવગથી ટિકિટની વહેંચણી કરાઈ હોવાનો આરોપ સ્થાનિક નેતાઓ સામે લગાવી ભાજપપાર્ટી માંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા.
તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ જોરશોરથી મહેનત કરી રહી છે. આ તરફ ગોપાલ ઈટાલિયા દર એક દિવસે સુરતમાં મહોલ્લા સભાનું આયોજન કરી રહ્યા છે. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટી મહાનગરમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. જેમાં અમદાવાદની સાથે રાજકોટ, સુરતમાં પણ મહેનત કરી રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ પણ રેલી કરી ચૂક્યા છે.
ગોપાલ ઈટાલિયા પણ ભૂતકાળમાં PAASના કાર્યકર રહી ચૂક્યા છે. તો પાટીદાર ફેક્ટરનો થોડો લાભ આમ આદમી પાર્ટીને પણ મળે તેવી શક્યતાઓ છે. અને ચૂંટણીના પરિણામમાં આમ આદમી પાર્ટીને અમદાવાદથી વધુ સુરતમાં સફળતા પણ મળી શકે છે. જો કે, ભાજપ પણ પોતાના કેન્દ્રીય નેતાઓને ગુજરાત બોલાવીને ચૂંટણી પ્રચારમાં ઉતરી ચૂકી છે. અને ભાજપ દ્વારા વૉરરૂમો પણ બનાવી દેવાયા છે. ફંડની દ્રષ્ટિએ ભાજપ સામે ટકવું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે થોડું મુશ્કેલ છે. પરંતુ જનતાનો મિજાજ કોના તરફ છે. તે તો પરિણામના દિવસે જ ખબર પડશે.