દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની દિલ્હીના પ્રદેશ કાર્યાલય પર એક પોસ્ટર ચર્ચાનો વિષય છે. આ પોસ્ટર છપાયા બાદ એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ મતની ગણતરી પહેલા જ પોતાની હાર સ્વીકારી ચૂકી છે?. જો કે, આ પોસ્ટર 2 વર્ષ જુનું હોવાનું સામે આવ્યું છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતગણતરી
ભાજપ કાર્યાલય પર લાગ્યા બેનર
'અમે વિજયથી અહંકારી નથી અને હારથી અમે નિરાશ નથી.'
ભાજપના દિલ્હી કાર્યાલયમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેના પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ફોટો છે અને તેમાં લખ્યું છે - 'અમે વિજયથી અહંકારી નથી અને હારથી અમે નિરાશ નથી.' આ પોસ્ટર ભાજપના દિલ્હી યુનિટ દ્વારા લગાવવામાં આવ્યું છે. જોકે, મતોની ગણતરી પૂર્વે ભાજપના નેતાઓએ વિજયનો દાવો કર્યો છે. પરંતુ તાજેતરમાં પ્રાપ્ત થયેલ વિગત મુજબ આ પોસ્ટર 2 વર્ષ જુનું હોવાનું સામે આવ્યું હતું. જે તાજેતરમાં વાયરલ થઇ રહ્યું છે.
Manoj Tiwari, BJP Delhi Chief: I am not nervous. I am confident that it will be a good day for BJP. We are coming to power in Delhi today. Don't be surprised if we win 55 seats. #DelhiResultspic.twitter.com/3xPHnd6qNf
ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, હું નર્વસ નથી. મને વિશ્વાસ છે કે,. આજે ભાજપ માટે સારો દિવસ છે. અમે આજે દિલ્હીની સત્તામાં આવીશું. જો અમે 55 બેઠકો પર જીત હાંસલ કરીએ છીએ તો આશ્ચર્યચકિત ન થતાં.
ભાજપ નેતાએ હનુમાનજી મંદિરે કર્યા દર્શન
Delhi: BJP leader Vijay Goel offered prayers at Hanuman Temple in Connaught Place. Counting for all 70 assembly seats in Delhi to begin at 8 am. #DelhiResultspic.twitter.com/CDbtQXGAqC
આ તરફ મતગણતરી પૂર્વે ભાજપ નેતા અને રાજ્યસભાના સભ્ય વિજય ગોયલ ક કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચી ગયા છે. વિજય ગોયલે દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દિલ્હીમાં ભાજપ સરકાર બનાવવામાં આવશે. ભાજપને જાતે બહુમતી મળશે.
મનોજ તિવારીએ કરી ટ્વીટ
મનોજ તિવારીએ ટ્વીટ કર્યું, 'આ તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. મારી ટ્વીટ સંભાળીને રાખજો. ભાજપ 48 બેઠકો લઈને સરકાર બનાવશે. તે જ સમયે, પશ્ચિમ દિલ્હીના લોકપ્રિય સાંસદ પરવેશ વર્મા એક્ઝિટ પોલથી સહમત નથી. તેમણે ટ્વીટ કરીને ભાજપની 50 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. તેમણે આમ આદમી પાર્ટીના ખાતામાં માત્ર 16 બેઠકો અને કોંગ્રેસ માટે માત્ર ચાર બેઠકો જીતવાની વાત કરી છે.