ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું છે કે અમને મળેલી જાણકારી મુજબ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામ પર દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં એક ભવ્ય ફાર્મહાઉસ છે.
આ સંપત્તિને રાહુલ ગાંધીએ એક સ્કૈસ્ટરને ભાડે આપ્યું હતું. ભાજપ પ્રવક્તાએ કોંગ્રેસને આડેહાથ લેતાં કહ્યું કે ભ્રષ્ટાચાર અને કોંગ્રેસ પાર્ટી એકબીજાના પૂરક છે. ભાજપ પ્રવક્તાએ જણાવ્યું કે રાહુલ ગાંધી અલીબાબા છે. રાહુલ ગાંધી પોતે અલીબાબા ચાલીસ ચોર થઇને ચોકીદારનો શોર મચાવે છે.
ભાજપના પ્રવકતાએ રાહુલ ગાંધી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીએ મહરૌલીમાં આવેલ ફાર્મ હાઉસને જિજ્ઞેશ શાહને ભાડે આપ્યું હતું.
સંબિત પાત્રાએ જણાવ્યું કે જિજ્ઞેશ શાહની કંપની એફટીઆઇએલ એનએસઇએલ કંપનીની પ્રમોટર હતી. યુપીએ સરકારે એનએસઇએલ કંપનીને બધા નિયમોમાંથી છૂટ આપી હતી. જો કે ભાજપના પ્રવક્તાએ લગાવેલા આરોપને કોંગ્રેસ તરફથી જાકારો આપવામાં આપવામાં આવ્યો છે.
આ આરોપને લઇને કોંગ્રેસ તરફથી રણદીપ સુરજેવાલાએ વળતો જવાબ આપ્યો હતો. સુરજેવાલાએ કહ્યું કે 1960ના દાયકામાં ખરીદવામાં આવેલ આ ફાર્મ હાઉસ રાહુલ ગાંધીના પૂર્વજોની સંપત્તિ છે. જેને ઘણા વર્ષોથી ભાડે આપવામાં આવેલ છે.